મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન


SHARE













મોરબીના ધક્કાવાળી મેલડી મંદિરે નવરંગો માંડવો: નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉર રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજીનું મંદીર આવેલ છે ત્યાર આગામી તા ૨૭ ને સોમવારના રોજ નવરંગો માંડવો રાખવામા આવેલ છે અને મોરબીમાં રહેતા આગેવાન રમેશભાઈ શામજીભાઈ વડસોલા અને તેના પરિવાર દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરાયું છે ત્યારે થાંભલી રોપણ, ભુવાના સામૈયા, મહાપ્રસાદ, ડાકલાની રમઝટ, થાંભલી વધામણા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને ડાક ડમરૂનો કાર્યક્રમ રાખવામા આવેલ છે જેમાં રાવળદેવ દેવભાઈ મેવાડા અને રાવળદેવ જીજ્ઞેશભાઈ ચૌહાણ સહિતના ડાકલાની રમઝટ બોલાવશે

નવા ધમલપર ગામે નવચંડી યજ્ઞ-સમાધિ પૂજન

વાંકાનેરના નવા ધમલપર ગામે ગેલ માતાજીના મંદિરના ૧૯ માં પાટોત્સવ નિમિત્તે આગામી તા ૨૩ મે ના રોજ નવચંડી યજ્ઞ તથા સમાધિ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવ નિમિત્તે ૨૨ મે ને બુધવારના રોજ રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે માતાજીનું માંડલું  રાખેલ છે જેમાં ડાક કલાકાર સાગરભાઈ માલણીયાત હાજર રહેશે. અને તા ૨૩ ના રોજ સવારે ૮:૦૦ વાગ્યાથી ધાર્મિક કાર્યક્રમ શરૂ થશે અને ૧૨:૩૦ કલાકે બીડું હોમવામાં આવશે. ત્યાર બાદ પ્રસાદ યોજાશે






Latest News