ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી તેમજ સમય ગેટ બાજુમાંઆજે નાટક યોજાશે


SHARE







મોરબીના નાની વાવડી તેમજ સમય ગેટ બાજુમાંઆજે નાટક યોજાશે

આજે રાત્રે માધવ ગૌશાળાના લાભાર્થે નાની વાવડી ગામે નાટક યોજાશે. મોરબી નજીકના નાની વાવડી ગામે માધવ અંધ-અપંગ ગૌશાળા આવેલી છે.તેના લાભાર્થે સામાજિક તેમજ કોમેડી નાટકનું આયોજન કરવામાં આવેલા છે.જેમાં સોનલબેનની ચૂંદડી (લોહી ભીની ચૂંદડી) નામનું કરૂણતાસભર નાટક તેમજ સાથે માલી મતવાલી નામનું હાસ્યથી ભરપુર નાટક યોજાશે.આજે તા.૨૦ ને બુધવાર શરદપૂનમના દિવસે રાત્રિના સાડા નવ વાગ્યે નાની વાવડી ગામે આવેલ રામજીમંદિર ચોક ખાતે યોજાવાના હોય સૌ ગૌપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.તેમજ મોરબીમાં આજે બુધવારે “મહિષાસુર મર્દિની” ધાર્મિક નાટક ભજવાશે શ્રી નવદુર્ગા શક્તિ મંડળ જેતપર(મચ્છુ) દ્વારા શરદપુનમની રાત્રે તા.૨૦ ને બુધવારના રોજ રાત્રીના ૯ : ૩૦ વાગ્યે નીતિનપાર્ક સોસાયટી, સમય ગેટ બાજુમાં મોરબી ખાતે ધાર્મિક નાટક મહિષાસુર મર્દિની ભજવાશે જે નાટકમાં પધારવા ધર્મપ્રેમી જનતાએ નીતિનપાર્ક ગરબી મંડળ-મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

શ્રી મોરબી ભાવસાર જ્ઞાતિ દ્વારા શરદોત્સવનું  આયોજન

મોરબીના શકિતપ્લોટ મેઈન રોડ ઉપર આવેલ કોમ્યુનિટી હોલ ખાતે  મોરબી ભાવસાર જ્ઞાતી દ્વારા આજ તા.૨૦ ને બુધવારે સાંજે ૭ વાગ્યે શરદપુનમ નિમિતે રાસ-ગરબાનું આયોજન  કરવામાં આવેલ હોય ભાવસાર  જ્ઞાતિબંધુ-ભગીનીઓને ગરબે ઘુમવા  આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.મોરબી ભાવસાર જ્ઞાતીના પ્રમુખ તથા ટ્રસ્ટી તથા કારોબારી સભ્યોએ જણાવેલ કે શરદોત્સવનું આયોજન કારોબારી કમીટી દ્વારા બુધવારે  તા.૨૦-૧૦ ના રોજ સાંજે ૭ કલાકે કરવામાં આવ્યું છે તો બધા ભાવસાર જ્ઞાતિબંધુને  ભાવભર્યુ આમંત્રણ છે.તથા કાર્યક્રમને સફળ બનાવવા મોરબી ભાવસાર જ્ઞાતી કારોબારી કમીટી તથા  ભાવસાર જ્ઞાતી  સલાહકાર સમિતીના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News