ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા આદ્યજગત ગુરૂ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય મોરબી જિલ્લા દ્વારા આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય યજમાન મંદિરના લઘુ મહંત નિલેશગીરી દ્વારા સવારે ૯ થી ૧૧ રાજોપ્રચાર પૂજન તથા અભિષેક ત્યારબાદ સમૂહ મહા આરતી ત્યારબાદ ધર્મસભા યોજાઇ હતી.

જેમાં આધ્યા જગતગુરુ શ્રી શંકરાચાર્ય દશનામ ગૌસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીયના પ્રદેશ સહ સચિવ અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ધર્મસભામાં આશિર્વચન પાઠવતા જણાવેલ કે, ધર્મ રક્ષિત રક્ષિતમ આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે.ખાસ જણાવેલ કે આવનાર દિવસોમાં ગોસ્વામી સમાજ એક મુહિમ ચલાવે જેમાં જળ એ જ જીવન છે.તો આપણે બધા સૌ પાણી બચાવીએ અને વૃક્ષો વાવીએ.ત્યારબાદ બધાએ સમૂહમાં પ્રસાદ લીધેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તથા ગોસ્વામી સમાજના પ્રમુખ હંસગીરીબાપુ તેમજ કારોબારી સદસ્ય કમલેશગીરી મહિપતપુરી તેમજ તાલુકા કક્ષાના મહેશગીરી તેમજ મોટી સંખ્યામાં ગોસ્વામી સમાજ અને સેવક સમુદાય હાજર રહ્યો હતો.






Latest News