મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ
Breaking news
Morbi Today

મોરબી : મતદાનનાં દિવસે મતદાન મથકની આસપાસનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં અન અધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ


SHARE











મોરબી : મતદાનનાં દિવસે મતદાન મથકની આસપાસનાં ૧૦૦ મીટરના વિસ્તારમાં અન અધિકૃત વ્યક્તિઓના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી માટેનું મતદાન તા.૭-૫ ના રોજ યોજાનાર છે.આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય,આદર્શ આચારસંહિતાનું પાલન થાય તથા મતદાન મથકોની આસપાસનાં વિસ્તારોમાં જાહેર શાંતી અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ  તા.૭-૫ ના રોજ મોરબી જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ લોકસભાની ચૂંટણી માટેના મતદાન મથકો તેમજ તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યકિતઓને એકત્રિત થવા, મતદાન મથકમાં પ્રવેશવા કે વાહનો લઈ જવા-લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


આ જાહેરમાનુ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી-કર્મચારીઓને સોંપવામાં આવી છે તે તમામ અધિકારીઓ-કર્મચારીઓ, મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન-ધંધાના સ્થળે આવવા-જવા, ફરજ પરના પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં.હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.






Latest News