મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના સોની વેપારીએ મચ્છુ-૨ ડેમમાં બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીના સોની વેપારીએ મચ્છુ-૨ ડેમમાં બીમારીથી કંટાળીને અંતિમ પગલું ભર્યું

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળીશેરીમાં રહેતા સોની વેપારીએ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ અને સુસાઇટ નોટ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા તેને કબજે લેવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં રહેતા સોની વેપારી મનોજભાઈ ઉર્ફે લાલો જયંતીભાઈ રાણપરા જાતે સોની (૪૪)એ મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાં જમ્પલાવીને આપઘાત કર્યો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ઘટના સ્થળેથી મૃતક યુવાનના ચપ્પલ, મોબાઇલ, પાકીટ તેમજ સુસાઇટ નોટ મળી આવી હતી જેને પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે અને આ આપઘાતના બનાવ અંગેની પ્રિયાંકભાઈ હર્ષદભાઈ પારેખ જાતે સોની (૩૩) રહે. દરબારગઢ પાસે જૈન દેરાસરની સામે સંઘવી શેરી મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણકારી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને છેલ્લા ૧૮ વર્ષથી માનસિક બીમારી હોય તેની દવા ચાલુ હતી અને આઠેક વર્ષ પહેલાં તે સોની કામ કરતા હતા તે સમયે સોનું ગાળવાની ગેસગનમાં ગેસ ચાલુ રહી જતા ગેસગનને સળગાવતાની સાથે જ ભડકો થયો હતો અને તેને ગળાના ભાગે આગની વરાળ લાગી જતા ગળામાં તેઓને તકલીફ થઈ ગઈ હતી અને તે વ્યવસ્થિત સમજી શકાય તેવું બોલીશ શકતા ન હતા જેથી કરીને બીમારીથી કંટાળી જઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News