મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અઢારેય વર્ણને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજની અપીલ


SHARE











મોરબી જીલ્લામાં અઢારેય વર્ણને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજની અપીલ

લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના ક્ષત્રિયા સમાજની બહેન દીકરી વિષે ટિપ્પણી કરી હતી જેથી તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી જો કે, ભાજપે તેની ટિકિટ રદ કરેલ નથી જેથી કરીને હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ૨માં ધર્મરથ કાઢવામાં આવેલ છે જે રથ આજે સવારે મોરબીના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી નીકળ્યો હતો અને મોરબી જિલ્લાના ટંકારા અને માળીયા તાલુકાનાં ગામડે ગામડે જઈને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે અઢારેય વર્ણને અપીલ કરવામાં આવશે અને શપથ લેવામાં આવશે

હવે લોકસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સામે આંદોલનના પાર્ટ૨ શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતભરમાં ભાજપના વિરુદ્ધમાં વધુમાં વધુ તદાન કરવામાં આવે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ધર્મરથ કાઢવામાં આવેલ છે ત્યારે મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા તાલુકામાં ભાજપ વિરુદ્ધ મતદાન વધુમાં વધુ કરવામાં આવે તેના માટે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા, રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.ડીજાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલા સહિતના હાજર રહ્યા હતા અને જય ભવાની, ભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ રથ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાનની ચાલી રહેલી લડતનો સંદેશો ગામડે ગામડે આપશે અને હાલમાં ભાજપ સામે જે લડાઈ ચાલી રહી છે તેને મોરબી પાટીદાર સમાજ મુસ્લિમ સમાજ સહિતના સમાજ દ્વારા ટેકો આપવામાં આવેલ છે અને આગામી તા.૭ ના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવે ત્યારે ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મત પડે તેના માટેના એક એક આગેવાન સહિતના વ્યક્તિઓ તન, મન અને ધનથી મહેનત કરશે તેવું આગેવાનોએ કહ્યું છે






Latest News