મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અઢારેય વર્ણને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજની અપીલ


SHARE











મોરબી જીલ્લામાં અઢારેય વર્ણને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા ક્ષત્રિય સમાજની અપીલ

લોકસભાના રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાના ક્ષત્રિયા સમાજની બહેન દીકરી વિષે ટિપ્પણી કરી હતી જેથી તેની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી હતી જો કે, ભાજપે તેની ટિકિટ રદ કરેલ નથી જેથી કરીને હવે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનના પાર્ટ૨માં ધર્મરથ કાઢવામાં આવેલ છે જે રથ આજે સવારે મોરબીના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી નીકળ્યો હતો અને મોરબી જિલ્લાના ટંકારા અને માળીયા તાલુકાનાં ગામડે ગામડે જઈને ભાજપની વિરુદ્ધમાં મતદાન કરવા માટે અઢારેય વર્ણને અપીલ કરવામાં આવશે અને શપથ લેવામાં આવશે

હવે લોકસભાની ચૂંટણીના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપની સામે આંદોલનના પાર્ટ૨ શરૂ કરવામાં આવ્યું છે અને ગુજરાતભરમાં ભાજપના વિરુદ્ધમાં વધુમાં વધુ તદાન કરવામાં આવે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ક્ષત્રિય સમાજ અને રાજપૂત કરણી સેના દ્વારા ધર્મરથ કાઢવામાં આવેલ છે ત્યારે મોરબી નજીકના શનાળા ગામે આવેલ શક્તિ માતાજીનાં મંદિરેથી મોરબી જિલ્લાના માળીયા અને ટંકારા તાલુકામાં ભાજપ વિરુદ્ધ મતદાન વધુમાં વધુ કરવામાં આવે તેના માટે ધર્મરથ કાઢવામાં આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા, રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ મહામંત્રી કે.ડીજાડેજા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને મહિલા સહિતના હાજર રહ્યા હતા અને જય ભવાની, ભાજપ જવાની સહિતના સૂત્રોચ્ચાર પણ કર્યા હતા આ રથ ક્ષત્રિય અસ્મિતા સ્વાભિમાનની ચાલી રહેલી લડતનો સંદેશો ગામડે ગામડે આપશે અને હાલમાં ભાજપ સામે જે લડાઈ ચાલી રહી છે તેને મોરબી પાટીદાર સમાજ મુસ્લિમ સમાજ સહિતના સમાજ દ્વારા ટેકો આપવામાં આવેલ છે અને આગામી તા.૭ ના રોજ ગુજરાતમાં મતદાન કરવામાં આવે ત્યારે ભાજપ વિરુદ્ધ વધુમાં વધુ મત પડે તેના માટેના એક એક આગેવાન સહિતના વ્યક્તિઓ તન, મન અને ધનથી મહેનત કરશે તેવું આગેવાનોએ કહ્યું છે






Latest News