મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર સમાજની માફી ન માંગનારા કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરાઇ: ૧૯ મી એ સુનાવણી


SHARE











મોરબી પાટીદાર સમાજની માફી ન માંગનારા કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરાઇ: ૧૯ મી એ સુનાવણી

કાજલ હિન્દુસ્તાની એ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉધોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને મોરબીના પાટીદાર સમાજની કાજલ હિન્દુસ્તાની માફી માંગે તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરાઇ રહી છે તો પણ તેને માફી માંગી નથી ત્યારે મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પીટીશન કરેલ છે અને તેની આગામી સુનાવણી તા ૧૯મી એપ્રિલે રાખવામાં આવી છે 

કાજલ હિન્દુસ્તાની દ્વારા પોતાના ભાષણમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદના મુદ્દાને લઈને વાત કરવામાં આવતી હોય છે તેવી જ રીતે થોડા સમય પહેલા સુરતમાં યોજાયેલા પાટીદાર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર કાજલ હિન્દુસ્તાનીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે સ્ટેજ ઉપરથી જે ભાષણ આપ્યું છે તેમાં મોરબીમાં જે ઘટના બની નથી તેવી વાત તેમના દ્વારા સ્ટેજ ઉપરથી કરવામાં આવી છે અને મોરબીની દીકરીઓ તેમજ ઉધોગકારોની બદનામી થાય તેવી હલકી કક્ષાની ટિપ્પણી કાજલ હિંદુસ્તાની દ્વારા કરવામાં આવી હોવાથી મોરબીમાં રહેતા પાટીદાર સમાજના યુવા આગેવાન અને પાસના અગ્રણી મનોજભાઈ પનારા દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે કાજલ હિન્દુસ્તાની સામે લેખિત અરજી ફરિયાદ તા ૧૮ માર્ચના રોજ આપવામાં આવેલ હતી ત્યાર બાદ કલેકટરને રેલી યોજીને આવેદન પત્ર અને મોરબીમાં પાટીદારોની જાહેર સભા યોજાઇ હતી જેમા  કાજલ હિંદુસ્તાની પાટીદાર સમાજની જાહેરમાં માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી જો પાટીદાર સમાજની માફી કાજલ હિન્દુસ્તાની દ્વારા માંગવામાં આવી નથી તેવામાં મનોજભાઈ પનારા દ્વારા તેઓના વકીલ જયદીપભાઇ પાંચોટિયા મારફતે હાઇકોર્ટમાં કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવવા માટે થઈને પિટિશન કરવામાં આવેલ છે અને તેની આગામી સુનવણી તા ૧૯ મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા મોરબી પોલીસને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવા માટે થઈને લેખિત અરજી ફરિયાદ મનોજભાઈ પનારા દ્વારા આપવામાં આવી હતી તેમ છતાં પણ પોલીસ દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધવામાં આવી નથી અને કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની માફી માંગી નથી જેથી કરીને હવે કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ નોંધાવા માટે થઈને હાઇકોર્ટમાં પીટીશન કરાઇ છે 






Latest News