મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત


SHARE











મોરબી નિધિપાર્કમાંથી ભૂગર્ભની ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા કલેક્ટરને રજૂઆત

મોરબીમાં રણછોડનગરની પાછળના ભાગમાં આવેલ નિધિપાર્કમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી રોડ ઉપર વહે છે જેની પાલિકામાં અનેક વખત રજૂઆત કરેલ છે તો પણ તેનો ઉકેલ આવતો નથી જેથી સ્થાનિક લોકો મોરબીના કલેકટર પાસે પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી છે અને જો સમસ્યા હવે ઉકેલાશે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના નિધિપાર્કમાંથી ગયેલા લોકોએ આપેલ આવેદનપત્રમાં લખ્યું છે કે, મોરબીના ગોર ખીજડીયા રોડ નિધિપાર્ક આવેલ છે તેમાં ગટરના ગંદા પાણીના નિકાલ માટે વર્ષો પહેલા ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં આવી હતી. જેની સફાઈ કરવામાં આવી નથી જેથી કરીને ત્યાં ભૂગર્ભ ભરાઈ ગયેલ છે અને ગંદુ પાણી સોસાયટીમાં રસ્તા ઉપર વહે છે જેથી લોકોને ગંદકિની વચ્ચે જ રહેવું પડે છે આ સમસ્યા માટે અનેક વખત પાલિકામાં રજૂઆત કરેલ  છે તો પણ કોઈ કામ કરતું નથી અને લોકો હેરાન છે ત્યારે હવે આ પ્રશ્ને ઉલેકવામાં નહીં આવે તો લોકો આંદોલન કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે






Latest News