મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્યએ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા બે શખ્સોએ માર માર્યો


SHARE











મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્યએ ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા બે શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ભાજપના ચૂંટાયેલા સભ્યએ તેના ભત્રીજાના મિત્રને ઉછીના ૫૦ હજાર રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે રૂપિયા તેને પાછા માંગતા રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ પાસે બે શખ્સોએ હુમલો કરીને તેને માર માર્યો હતો અને માથામાં પાછળના ભાગે પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ ફ્લોરા ૧૫૦ સી-૩૦૨ માં રહેતા મોરબી તાલુકા પંચાયતની રવાપર બેઠકના ચૂંટાયેલા સભ્ય ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા જાતે પટેલ (૩૪)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુરેશભાઈ નાનુભાઈ મિયાત્રા અને પાર્થ ઉર્ફે લાલો નાનુભાઈ મિયાત્રા રહે. બંને રવાપર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સુરેશભાઈ મિયાત્રા તેના ભત્રીજાના મિત્ર છે અને તેને તેઓએ હાથ ઉછીના ૧૦ હજાર રૂપિયા દોઢ વર્ષ પહેલા આપેલ હતા જે પૈસા તેણે પાછા માગતા સુરેશભાઈ ઉસ્કેરાઈ ગયા હતા અને તેણે ફરિયાદીને માથાના પાછળના ભાગમાં પ્લાસ્ટિકનું કેરેટ માર્યું હતું જેથી તેને માથામાં ઇજા થઈ હતી અને પાર્થ મિયાત્રાએ તેને ગાળોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News