હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE











મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી

યુનેસ્કો દ્વારા વર્ષ ૧૯૯૯ ની ૨૧ મી માર્ચથી વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી દર વર્ષની ૨૧ મી માર્ચે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીની ગૌશાળા પ્રાથમિક શાળામાં ૨૧ માર્ચ ૨૦૨૪ ના રોજ વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કવિતા દિવસની ઉજવણીના ઉદ્દેશો અને મહત્ત્વ અંગે શાળાના શિક્ષક સંજય બાપોદરિયા દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી આપી સ્વરચિત કવિતાનું પઠન કર્યું હતું. ત્યારબાદ શાળાના શિક્ષક પ્રફુલભાઈ ફેફર, અશોકભાઈ ફેફર, યાજ્ઞિકભાઈ કાવરે કવિતા રજૂ કરી હતી. બહોળી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ મનગમતી કવિતા રજૂ કરી હતી. સી.આર.સી. કોઓર્ડિનેટર શૈલેષભાઈ કાલરિયાએ ઉપસ્થિત રહી ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ કવિઓની કવિતાઓનું રસપાન કરાવ્યું હતું.






Latest News