મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં પત્રકારના નામે ૧૦ જેટલી બોગસ અરજી !: શિક્ષકો જ શિક્ષકોના દુશમન ?


SHARE











મોરબી જિલ્લાના શિક્ષણ વિભાગમાં પત્રકારના નામે ૧૦ જેટલી બોગસ અરજી !: શિક્ષકો જ શિક્ષકોના દુશમન ?

જીલ્લા શિક્ષણ અધિકારી મોરબીને મળીને કેટલાક શિક્ષકોએ એક  પત્રકારને પર લગાવેલા આક્ષેપો અંગે પત્રકાર દ્વારા શિક્ષણાધિકારીને રુબરુ મળીને ખૂલાસા કરવામાં આવેલ છે અને ચોક્કસ શિક્ષકો આચરેલી વ્યાપક ગેરરીતિની સિલસિલા બંધ વિગતો અધિકારીને આપી હતી. અને આવનારા સમયમાં વાંકાનેર-મોરબી શિક્ષણ જગતમાં ભારે મોટા ધડાકા ભડાકાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

હાલમાં પત્રકાર મહેબુબભાઈ હાલે જણાવ્યુ હતું કે પોતે પત્રકાર તેમજ આર.ટી.આઈ એકટીવીસ્ટ છે અને છેલ્લા ૩૨ વર્ષથી કામગીરી કરી રહ્યા છે અને ભષ્ટાચાર ખુલ્લો કરતા તેમને કેટલાક ગેરરીતી આચરનાર તત્વો સાથે મતભેદો થતા હોય છે. ગઈકાલે કેટલાક શિક્ષકોએ શિક્ષણ અધિકારીને મળીને પત્રકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની રાવ કરી હતી. અને વાસ્તવમાં જણાવેલા કોઈ પણ શિક્ષકને મહેબૂબભાઈ કયારેય મળ્યા જ નથી કે કયારેય ફોન પણ કર્યો નથી. તો પછી હેરાન કઈ રીતે કર્યા ગણાય? શું આરટીઆઈ માંગવી ગુનો છે? કયાંય કોઈ ગેરરીતિ આચરવામાં આવ્યાનું જણાય અને તે અંગે ઉચ્ચ અધિકારીને લેખિત રજૂઆત કરવો ગુનો છે? સહિતના સવાલ  મહેબૂબભાઈ હાલા શિક્ષણાધિકારીને આપવામાં આવેલા આવેદનપત્રમાં ઉઠાવ્યા હતા.

મોરબી જીલ્લામાં ભ્રષ્ટ શિક્ષકો દ્વારા દશ જેટલી ફરીયાદોની અને આર.ટી.આઈ.ની વિગતો જાણવવામા આવેલ છે. તે બાબતે મહેબૂબભાઈ હાલાએ જણાવ્યું હતું કે આવી કોઈ અરજીઓ તેના દ્રારા કરવામા આવી નથી અને શિક્ષકોને તે ઓળખતા પણ નથી અને કોઈ સ્કુલે પોતે ગયા જ નથી જો આવી કોઈ અરજી થઈ હોય તો તેવી ફ્રોડ અરજી કરનાર શિક્ષક જે કોઈ પણ હોય તેની સામે યોગ્ય તપાસ કરીને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે . તેમજ વાંકાનેર તાલુકા શાળા- ૧ના આચાર્ય પિયુષ માનસેતા પાસે છેલ્લા એક વર્ષના હિસાબો બાબતે માહિતી અધિકારી હેઠળ અરજી કરેલ છે અને માહિતી માંગવી તે કોઈ ગુનો નથી






Latest News