ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબી પરશુરામ ધામ ખાતે શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે

મોરબી માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો રાજ્યના નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે આગામી શનિવારે રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે


મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના ભૂપતભાઇ પંડ્યાએ માહિતી આપતા જણાવ્યુ છે કેગુજરાતના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આગામી શનિવારેને તા ૧૬ ના રોજ સાંજે ૭ વાગ્યે  મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામધામ ખાતે સન્માન સમારોહ યોજાશે ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા પણ હાજર રહેશે ત્યારે આર્ષ વિદ્યા મંદિર મુંજકા આશ્રમના પરમાત્માનંદ સ્વામી પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બ્રહ્મસમાજના અગ્રણી અને મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ કિશોરભાઇ શુક્લ, મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ નીરાજભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, સહિતનાની ટિમ જહેમત ઉઠાવી રહી છે






Latest News