મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ


SHARE











મોરબીના જલારામ મંદિરે રામધામના શીલા-કળશ પૂજનનો પ્રારંભ

મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે અને બુધવારે બપોરે ૪ વાગ્યાથી મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત રઘુવંશીઓ માટે પવિત્ર શ્રી રામધામનુ શીલા તેમજ કળશ પૂજન શરૂ કરવામાં આવ્યું છે અને બે દિવસ સુધી ત્યાં શીલા તેમજ કળશ પૂજન કરી શકશે

મોરબીના દરેક રઘુવંશી પરિવારોને મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે આગામી તા.૧૬-૨ થી ૧૯-૨ દરમિયાન શ્રી રામધામ ખાતે ૧૦૮ કુંડી શ્રી રામ યજ્ઞ, ખાત મુહૂર્ત તેમજ શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની ટેકના પારણા સહીતના કાર્યક્રમો યોજાશે. તે અંતર્ગત મોરબીનો સમસ્ત લોહાણા સમાજ શ્રી રામધામ ના નિર્માણમાં પૂણ્યનું ભાથુ બાંધી શકે તે હેતુસર મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે તા.૮-૨-૨૦૨૪ ગુરુવાર બપોરે ૪ કલાક થી પવિત્ર શ્રી રામધામની શીલા તથા કળશ પૂજનના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજન કાર્યક્રમ શનીવાર સુધી યોજાશે. શહેરમાં વસતા દરેક રઘુવંશી પરિવારે પોતાના અનુકુળ સમયે શ્રી જલારામ મંદિર ખાતે આવીને શીલા તેમજ કળશનું પૂજન કરી શકે છે જેથી મોરબીમાં રહેતા રઘુવંશી પરિવારોને તેનો લાભ લેવા માટે લોહાણા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, ઉપપ્રમુખ નવીનભાઈ રાચ્છ, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ તેમજ કન્વીનર નિર્મિત કક્કડે જણાવ્યુ છે




Latest News