સંસ્કૃતિ, સાધુ-સંતોનું અપમાન કરનારા સાંસદો સામે FIR કરવાની માંગ: મોરબીના સનાતન સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ કેમ્પનો ૨૬૦ દર્દીઓએ લાભ લીધો મોરબીના પેકેજિંગ ઉદ્યોગકારોએ બોક્સના ભાવમાં કર્યો 12 ટકાનો વધારો: સર્વાનુમતે લેવાયો નિર્ણય મોરબીના બાદનપર ગામે વોંકળાના પાણીમાં તણાઈ જતા વૃધ્ધાનું મોત મોરબી : બુટવડા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનલીલા સંકેલી મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ખુલ્લા કરવા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં હનીટ્રેપ દરમ્યાન પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર શખ્સ જેલ હવાલે હળવદના કડીયાણા ગામ પાસે આગ લાગતા ટ્રક અને પેપરનો જથ્થો બળીને ખાખ
Breaking news
Morbi Today

મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત


SHARE







મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત

મોરબીના લક્ષ્મીનાગર ગામેથી કાકા ભત્રીજા અને ધરમપુર ગામેથી યુવાન ઘેટા બકરા ચરાવવા માટે થઈને નવા સાદુળકા ગામ પાસે ગયા હતા ત્યારે ત્યાં પાણીના ખેત તલાવડામાં નાહવા માટે ગયેલ બાળક સહિત કુલ ત્રણેય વ્યક્તિ પાણીમાં ગયા હતા અને કારણોસર પાણીમાં ડૂબી ગયા હતા જો કે, ત્યાં તેઓના મોબાઈલ, ચપ્પલ અને કપડાં પડેલા હતા જેથી તેઓ પાણીમાં ડૂબી ગયા હોવાની શંકા હતી જેથી તાત્કાલિક ફાયર વિભાગને બનવાની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા બાળક સહિતના ત્રણેય વ્યક્તિઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.

મૂળ કચ્છ જિલ્લાના રહેવાસી અને હાલમાં છેલ્લા ઘણા વર્ષોથી મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામ પાસે રહેતા હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા (28) અને તેઓનો ભત્રીજો જયદેવ સોંડાભાઈ રાતડીયા (13) તેમજ મોરબી તાલુકાનાં ધરમપુર ગામે રહેતા કાળુભાઈ ગીગુભાઈ વેહરા (31) ઘેટાં બકરા ચરાવવા માટે મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે લઈને ગયા હતા ત્યારે પાણી ભરેલા ખેત તલાવડામાં બુધવારે સવારે 11 વાગ્યાના અરસામાં તેઓ નાહવા માટે થઈને પડ્યા હતા દરમ્યાન તેઓ બહાર ન નીકળતા માલ ઢોર લઈને ચરાવવા માટે ગયેલા અન્ય વ્યક્તિઓ ત્યાં જોવા માટે ગયા હતા ત્યારે તલાવડાના કાંઠે મોબાઈલ ફોન, કપડાં અને ચપ્પલ પડ્યા હતા જો કે, નાહવા માટે ગયેલ ત્રણેય વ્યક્તિ દેખાતા ન હતા.

જેથી કરીને નાહવા માટે પડેલા ત્રણેય વ્યક્તિ કોઈ કારણોસર પાણીના તલાવડામાં ડૂબી ગયા હોવાથી આ અંગેની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ ત્યાં ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પાણીમાંથી હઠાભાઇ પુંજાભાઈ રાતડીયા, તેના ભત્રીજા જયદેવ સોંડાભાઈ રાતડીયા અને કાળુભાઈ ગીગુભાઈ વેહરાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News