મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત


SHARE











મોરબીના આગેવાને મુખ્યમંત્રીને ભગવાન માંધાતા-સંત વેલનાથ બાપુના નામે યોજના જાહેર કરવા કરી રજૂઆત

હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામની યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી રજૂઆત મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી સુરેશભાઈ શિરોહીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કરી છે. વધુમાં માહિતી આપતા સુરેશભાઈ શિરોહીયાએ જણાવ્યું છે કે, સમસ્ત કોળી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા અને સંત વેલનાથ બાપુએ તમામ વરણને નવી રાહ બતાવી છે ત્યારે સરકારની અનેક યોજના સંત રોહીદાસ, હરીશચંદ્ર તારામતી, વિરમેઘમાયા, કુંવરબાઈનું મામેરું જેવી યોજના અમલી છે તેવી જ રીતે સમાજ સુધારક ભગવાન માંધાતા અને સંત વેલનાથ બાપુના નામથી ગુજરાતમાં સરકાર દ્વારા યોજના શરૂ કરવામાં આવે તેવી રાજ્યના કોળી ઠાકોર સમાજ વતી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News