મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ


SHARE











મોરબી આહીર સેના દ્વારા પત્રકાર તુષાર બસિયા સામે નોધાયેલ ફરિયાદ રદ કરવાની માંગ

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાએ સુરતના સિંગણપોરમાં સગીરા સાથે બનેલી ઘટના બાબતે મીડિયામાં અહેવાલ રજૂ કર્યો હતો ત્યાર બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે ત્યારે આહીર સેના ગુજરાત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે વધુમાં સ્થાનિક આગેવાને જણાવ્યુ હતુ કે, નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે જે ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમાં પોક્સો, આઈટી એક્ટ જેવી કલમો લગાવવામાં આવેલ છે જે ફરિયાદને રદ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, આ તુષાર બસિયા તેમજ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે જેથી કરીને આહીર સેના ગુજરાતના પ્રદેશ કોર કમિટી સભ્ય મહેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા સહિતના આગેવાનોએ હાજર રહીને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને ફરિયાદ રદ કરવાની રજૂઆત કરી છે






Latest News