ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે રફાળેશ્વરથી મકનસર સુધી શિવયાત્રા અને ધર્મસભાનું આયોજન


SHARE











મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે રફાળેશ્વરથી મકનસર સુધી શિવયાત્રા અને ધર્મસભાનું આયોજન

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આવતી કાલે રફાળેશ્વર મહાદેવથી મકનસર ગામ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ ત્યાં ધર્મસભા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવતા તરણા ગામે વાળીનાથ મહાદેવની જગ્યા આવેલ છે તે જગ્યામાં સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન મંદિર બની ગયું છે અને ત્યાં શિવાલયમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તા. ૨૨/૨ ના રોજ થવાની છે ત્યારે ત્યાં જે શિવલિંગનું સ્થાપન થશે તે ચારધામ અને બાર જ્યોતિર્લિંગ શિવયાત્રા પરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિવયાત્રા આવતીકાલે તા ૧૭ ના રોજ બપોરે બે વાગ્યે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવવાની છે અને રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા મકનસર ગામે આવેલ રામજી મંદિર સુધી યોજાવાની છે અને ત્યાં શિવલિંગને રુદ્રાભિષેક કરવામાં આવશે ત્યારબાદ ધર્મસભા અને સંત સંમેલન પણ યોજવાનું છે ત્યારે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા મોરબી જિલ્લામાં યોજાનાર અભૂતપૂર્વ શોભાયાત્રામાં જોડાવા માટે અને શોભાયાત્રા, ધર્મસભા અને મહાપ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News