મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે રફાળેશ્વરથી મકનસર સુધી શિવયાત્રા અને ધર્મસભાનું આયોજન


SHARE







મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા કાલે રફાળેશ્વરથી મકનસર સુધી શિવયાત્રા અને ધર્મસભાનું આયોજન

સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આવતી કાલે રફાળેશ્વર મહાદેવથી મકનસર ગામ સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાર બાદ ત્યાં ધર્મસભા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવતા તરણા ગામે વાળીનાથ મહાદેવની જગ્યા આવેલ છે તે જગ્યામાં સોમનાથ મહાદેવ મંદિરની પ્રતિકૃતિ સમાન મંદિર બની ગયું છે અને ત્યાં શિવાલયમાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા આગામી તા. ૨૨/૨ ના રોજ થવાની છે ત્યારે ત્યાં જે શિવલિંગનું સ્થાપન થશે તે ચારધામ અને બાર જ્યોતિર્લિંગ શિવયાત્રા પરિભ્રમણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિવયાત્રા આવતીકાલે તા ૧૭ ના રોજ બપોરે બે વાગ્યે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવવાની છે અને રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા મકનસર ગામે આવેલ રામજી મંદિર સુધી યોજાવાની છે અને ત્યાં શિવલિંગને રુદ્રાભિષેક કરવામાં આવશે ત્યારબાદ ધર્મસભા અને સંત સંમેલન પણ યોજવાનું છે ત્યારે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા મોરબી જિલ્લામાં યોજાનાર અભૂતપૂર્વ શોભાયાત્રામાં જોડાવા માટે અને શોભાયાત્રા, ધર્મસભા અને મહાપ્રસાદનો લાભ લેવા માટે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News