ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીઓ માટે ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં ગોઠવાયો


SHARE











મોરબીમાં દીકરીઓ માટે ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં ગોઠવાયો

વર્તમાન સમયમાં બોર્ડની પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓએ સહુથી વધુ પ્રેસરમાં આવી જતાં હોય છે ત્યારે મોરબી કન્યા છાત્રાલયના સંચાલકો દ્વારા દીકરીઓને મોટીવેશન અને પ્રેરણા માટે તેના માટે તાજેતરમાં જ રીલીઝ થયેલ ટેવેલ્થ ફેઈલ ફિલ્મનો ખાસ શો આજે સાંજે કન્યા છાત્રાલયમાં રાખવામાં આવેલ છે અને તે ફિલ્મ જોવા માટે કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓ ઉપરાંત અન્ય શાળા કે પછી કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ પણ આવી શકે છે તેવું સંસ્થાના સંચાલકોએ જણાવ્યુ છે

મોરબીમાં કડવા પાટીદાર કન્યા છાત્રાલય દ્વારા વર્ષોથી હજારો દિકરીઓનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્ય નિર્માણ થઈ રહ્યું છે ગઈકાલે છાત્રાલયમાં દેશભક્તિ સભર અદ્ભૂત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે એટલે કે તા. ૧૩/૩ ના રોજ છાત્રાલયમાં દિકરીઓ માટે સાંજે ૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી ટેવલ્થ ફેઈલ ફિલ્મ ના ખાસ શો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બારમાં ધોરણમાં નાપાસ થયેલ વિદ્યાર્થી નિરાશ હતાશ થયા વગર જીવનમાં ખુબ જ સંઘર્ષ કરી કાળી મજૂરી કરી આઇપીએસ થયેલ છે તે યુવાનની સ્ટોરી બતાવવામાં આવેલ છે આ ફિલ્મ જોવાથી દીકરીઓને ખુબ જ પ્રેરણા પ્રાપ્ત થશે. તો કન્યા છાત્રાલય સહિત અન્ય શાળા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓને પણ આ ફિલ્મ નિઃશુલ્ક જોવા માટે ત્યાં આવી શકે તેના માટે સંસ્થાના સંચાલકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે તેવું કડવા પાટીદાર કેળવણી મંડળની યાદીમાં જણાવવામાં આવે છે.






Latest News