મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ અને સન્માન સમરોહ યોજાયો


SHARE







મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ અને સન્માન સમરોહ યોજાયો

મોરબીના રવાપર ગામે આવેલ દ્વારિકાધીશ ફાર્મમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા વાર્ષિક સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ જી. એરણિયા દ્વારા સર્વે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે પોપટભાઈ કગથરા (પ્રમુખ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ),ડૉ. મનુભાઈ કૈલા (પ્રમુખ, સમૂહ લગ્ન સમિતિ), કેશુભાઈ આદ્રોજા (પ્રમુખ, ઉમિયા સમાધાન પંચ), લિંબાભાઈ મસોત (પ્રમુખ, ઉમિયા મેરેજ બ્યુરો), ડૉ. ભાવેશભાઈ જેતપરિયા (પૂર્વ પ્રમુખ ઉમિયા સર્વિસ  કલાસ ફોરમ), ભાણજીભાઈ આદ્રોજા (પ્રમુખ સિનિયર સિટીઝન) તેમજ દિનેશભાઈ વડસોલા (પૂર્વ મંત્રી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓના હસ્તે તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ બઢતી પ્રાપ્ત કરતા અને નિવૃત થયેલા અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આગેવાનોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ સમારોહનું સંચાલન હર્ષદભાઈ ટી. મારવાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ફોરમ પરિવારના સર્વે કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યઓ, જુદી જુદી સમિતિના  કન્વીનરોએ જહેમત ઉઠાવી હતી






Latest News