ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ


SHARE





ટંકારા તાલુકાનાં નેકનામ ગામે નાની-મોટી ૨૦ જેટલી ચોરી, પોલીસની ઢીલી નીતિનો ગ્રામજનોનો આક્ષેપ

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં ચોરીની ઘટના બની રહી છે ત્યારે ટંકારા તાલુકાનાં નેકનામ ગામે છેલ્લા દોઢ માહિનામાં ચોરીની એક કે બે નહીં પણ ૨૦ જેટલી ઘટના બની હોવાનું ગામના લોકો કહી રહ્યા છે અને પોલીસની ઢીલીનીતિ હોવાની અણીદાર આક્ષેપ પણ કરેલ છે આટલું જ નહીં ટંકારા પોલીસ ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે એફઆઈઆર લેવાના બદલે માત્ર અરજી લઈને તપાસ કરે છે તેવી પણ આક્ષેપ કરેલ છે

ટંકારાના નેકનામ ગામના મગનભાઈ પોપટભાઈ હરણીયા સહિતના ગામના લોકોએ મોરબી જિલ્લાના એસપીને લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, છેલ્લા દોઢ થી બે મહિનામાં અંદાજે ૨૦ જેટલી નાની મોટી ચોરીની ઘટના બનેલ છે છતાં સમગ્ર ટંકારા પોલીસ હજુ સુધી કોઈને પકડી શકેલ ન આથી અને ક્રાઇમ રેટ નીચો બતાવવા માટે ફરિયાદ લેવાના બદલે માત્ર સાદા કાગળ ઉપર અરજી લઈને તપાસ કરે છે તેવું કહે છે અને કોઈ આરોપી પકડાતાં નથી અને આ ગામના ભોગ બનેલા લોકો ફરિયાદ નોંધવા વારંવાર ટંકારા પોલીસ સ્ટેશને જાય છે તો તેની ફરિયાદ લેવામાં આવતી નથી તેવો પણ આક્ષેપ કરેલ છે વધુમાં જણાવ્યુ હતું કે, હાલપરા પરિવાર બહુચર માતાજીનું મંદિર, જાદવ પરિવાર મંદિર, ચીકાણી પરિવાર બહુચર માતાજીનું મંદિર, પ્રભુભાઈ પોપટભાઈ હાલપરા, હરણીયા પરિવાર બ્રાહ્મણી માતાનું મંદિર, લુહાર જ્ઞાતિનું મંદિર, ધીરજલાલ લવજીભાઈ હાલપરા, ઝાલા પરિવાર ધાવડી માતાજીનું મંદિર, ગિરીશ રણછોડભાઈ વરસડા, હરેશ અવચરભાઈ નડિયાપરા, મગનભાઈ પોપટભાઈ હરણીયા, હરજીભાઈ મનજીભાઈ ચીકાણી, મેહુલ વસંતભાઈ બરાસરા સહિતના લોકોના ઘરે તેમજ મંદિરોમાં જુદાજુદા સમયે ચોરી કરવામાં આવેલ છે છતાં ટંકારા પોલીસે ફરિયાદ લીધેલ નથી ! જેથી ફરજમાં બેદરકાર અધિકારી અને કર્મચારીઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News