મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા !


SHARE











લૂંટ ?: વાંકાનેરના રાજ ખીજડીયા ગામે ઘરમાં ઘૂસી બાળકને છરી બતાવીને બે હિંદીભાષી ૫૦ હજાર લઈ ગયા !

વાંકાનેર તાલુકાના રાજ ખીજડીયા ગામે લૂંટની ઘટના બની હતી જેમાં બાળક શાળાએથી ઘરે આવ્યા બાદ પોતાનું ઘર ખોલીને ઘરમાં જતાની સાથે જ બે અજાણ્યા હિન્દીભાસી શખ્સો તેની પાછળ તેના ઘરમાં આવ્યા હતા અને તે બાળકને લાફા મારીને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તે પૂછ્યું હતું ત્યારબાદ કબાટના ખાનામાંથી ૫૦,૦૦૦ રૂપિયા રોકડાની લૂંટ કરીને તે બંને શખ્સો ભાગી ગયા હતા જો કે આ અંગેની ભોગ બનેલા પરિવારના વ્યક્તિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને જોકે હજુ સુધી આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજ ખીજડીયા ગામે રહેતા મુકેશભાઈ શામજીભાઈ દેકાવાડીયાનો દીકરો મહાદેવ (૯) વાંકાનેર તાલુકાનાં સિંધાવદર પાસે સ્કૂલમાં ભણતો હોય ગત તા ૨૮/૧૨ ના રોજ બપોરના સવા વાગ્યે તે શાળાએથી પાછો આવ્યો હતો અને ત્યારે મુકેશભાઈ દેકાવાડીયા અને તેના પરિવારજનો વાડીએ હતા જોકે ઘરનું બારણું ખોલીને મુકેશભાઈનો દીકરો મહાદેવ ઘરમાં ગયો તેની પાછળ બે અજાણ્યા શખ્સો પણ તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તે શખ્સોએ બાળકને બે લાફા માર્યા હતા અને ત્યારબાદ તેને છરી બતાવીને કબાટની ચાવી ક્યાં છે ? તેવું પૂછ્યું હતું અને કબાટમાંથી રોકડા ૫૦,૦૦૦ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે આ અંગેની ભોગ બનેલા મુકેશભાઈ દેકાવાડીયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જોકે આ બનાવ સંદર્ભે હજુ સુધી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ ફરિયાદ નોંધાયેલ નથી






Latest News