મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અણિયારી ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૨ અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા


SHARE











માળીયા (મી)ના અણિયારી ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતા ૧૨ અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા

મોરબી, વિરમગામ, લીંબડી અને ચોટીલાના મોરબી હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવી લીધેલ છે અને માળીયા પોલીસે હાલમાં ડ્રાઈવર સહિત બે શખ્સને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપરથી એક તુફાન ગાડીમાં મોટી સંખ્યામાં પશુઓને કચ્છના સામખીયારી તરફથી ભરીને માળીયા, હળવદ થઈને અમદાવાદ લઈ જવાની છે તેની માહિતી મળી હતી જેથી કરીને ગૌરક્ષકોએ વોચમાં હતા ત્યારે જીજે ૫ બીઝેડ ૯૩૪૭ નંબરની તુફાન ગાડી નીકળી હતી ત્યારે ગૌરક્ષકો અને પોલીસે તેનો પીછો કરીને અણીયારી ટોલનાકાથી આગળ ગાડીને ઉભી રાખીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી ૧૨ અબોલજીવ મળ્યા હતા. અને તુફાન ગાડીના ડ્રાઈવરને પૂછતાં તેણે આ પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની હકીકત જણાવી હતી જેથી કરીને પોલીસે ડ્રાઈવર અને તેની સાથે રહેલા અન્ય એક શખ્સને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ કામગીરીમાં ગૌરક્ષકોને માળીયા પોલીસનો સારો સહકાર મળ્યો હતો.






Latest News