ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો


SHARE











મોરબીના મકનસર ગામે નજીવી બાબતે છરી વડે હુમલો, ગુનો નોંધાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા મકનસર ગામે નજીવી વાતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જેમાં છરી વડે હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા બાદમાં યુવાને ફરિયાદ નોંધાવતા ચાર સામે ગુનો નોંધીને તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઈ પરમાર જાતે રાવળદેવ (૨૯) નામના યુવાને ત્યાં જ રહેતા સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને જણાવ્યું હતું કે "તમે આ બાજુ કેમ જાજરૂ જવા માટે આવો છો..?" તેમ કહીને બોલાચાલી કરીને ગાળો આપવામાં આવી હતી જેથી ગાળો દેવાની ના પાડતાં તેમના ઉપર તથા સુરેશ ધના પરમાર અને ઘનશ્યામ ધનજી પરમાર એમ ફરીયાદી સહિત ત્રણ લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્રણેયને ઢીકીપાટુનો માર મારવામાં આવ્યો હતો તે દરમ્યાન સુનિલે કુંવરજીભાઇના માથાના ભાગે છરી ઝીંકી દીધી હોય ત્રણેયને સારવારમાં લઇ જવાયા હતા. સામાપક્ષના કિશોર બાબુ રાવળદેવ (૩૫), બાબૂ પરશુરામ પરમાર અને મોંઘીબેન આનંદભાઇ ગોહેલ (૨૫) ને પણ સારવારમાં લઇ જવાયા હતા. હાલ કુંવરજીભાઇ પરમારની ફરીયાદ ઉપરથી સુનિલ જેસીંગ, કિશોર બાબુ, આનંદ બાબુ અને કિશોરનો સાળો લાલો એમ ચાર સામે ફરિયાદ નોંધીને તાલુકા પાલીસ મથકના જે.પી.વસીયાણીએ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વાંકાનેર તાલુકામાં આવેલ લુંણસર ગામના રહેવાસી નાગજીભાઈ કાનાભાઈ ધ્રાંગીયા નામના ૪૯ વર્ષીય આધેડ કામ સબબ મોરબી આવ્યા હતા અને મોરબીથી પરત પોતાના ગામ લુણસર જતા હતા ત્યારે રસ્તામાં જોધપર નદી ગામ પાસે તેમના બાઈકની આડે અચાનક કૂતરૂ આડું ઉતર્યુ હતું જેથી બાઈક સ્લીપ થઈ જવાના બનેલા બનાવમાં નાગજીભાઇને ઇજાઓ થતા તેઓને સારવાર માટે અહીંની આયુષ હોસ્પીટલે ખસેડાયા હતા.






Latest News