ટંકારામાં બંધ મકાનમાંથી 2.47 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરીન ગુનામાં ચોરાઉ મુદામાલ સાથે એકની ધરપકડ: મહિલા સહિત બે ની શોધખોળ મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો !
Breaking news
Morbi Today

ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા


SHARE





ટંકારામાં દયાનંદ સરસ્વતીજીની ૨૦૦ મી જન્મ જયંતી નિમિતે યોજાનાર બોધોત્સવ માટે રાષ્ટ્રપતિને આમંત્રણ, વડાપ્રધાન હાજર રહે તેવી શક્યતા

મોરબી જિલ્લાના ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીજીની જન્મ જયંતી નિમિત્તે શિવરાત્રીના રોજ બૌધોત્સવ યોજાતા હોય છે તે રીતે જ આગામી શિવરાત્રીના રોજ બોધત્સવ યોજાવોનો છે.જેથી મોરબીના ટંકારા ખાતે આગામી શિવરાત્રીના બોધોત્સવમા સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપી સીએમ યોગી આદીત્યનાથ, ગુજરાત સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ દેવવ્રતજી વિગેરે આમંત્રિત મહેમાનો હાજર રહે તેવી શક્યતાઓ છે અને આ કાર્યક્રમને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીને ગુજરાતના રાજ્યપાલ દેવવ્રતજી સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.આગામી શિવરાત્રીના રોજ સમગ્ર ટંકારા ઋષિમય બની જશે અને ૨૦ હજારથી વધુ આર્યો ઉપસ્થિત રહશે.અત્યારથી જ સમગ્ર ટંકારા ખાતે આ પ્રસંગે ઉજવવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે અને તેના માટેની તળામાર તૈયારીઓ ચાલી રહી છે




Latest News