મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી : એક મહિનાનું બાળક સાથે મહિલાને પતિ રસ્તામાં મૂકીને જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ


SHARE







મોરબી : એક મહિનાનું બાળક સાથે મહિલાને પતિ રસ્તામાં મૂકીને  જતા રહેતા આશ્રય અપાવતી મોરબી 181 અભયમ ટીમ

તારીખ:-11/11/2023 ના રોજ એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 મા કોલ આવેલ કે પીડિત મહિલા ને એક માસનું બાળક હોય અને તેમના પતિ રસ્તામાં મૂકીને જતા રહેલ હોય માટે મદદની જરૂર છે.

ત્યારબાદ તાત્કાલિક 181 મોરબી લોકેશન ટીમના કાઉન્સિલર પટેલ સેજલબેન તેમજ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચેલ અને તે મહિલા પાસે જઈ સૌપ્રથમ મહિલાને  પહેલા સાંત્વના આપેલ ત્યારબાદ તેમનું કાઉન્સિલિંગ કરેલ જેમાં મહિલાએ જણાવેલ કે તેમને એક માસનું બાળક હોય તેવો બિહારના હોય પાંચ દિવસ થાય મોરબીમાં અહીંયા કંપનીમાં કામ કરવા માટે આવેલ હોય મહિલા ના  પતિ મહિલા ને રસ્તામાં મૂકી જતા રહેલ હોય તેમના પતિ નો ફોન પણ બંધ બતાવતો હોય મહિલા ને તેઓ ક્યાં રહે છે તે ખબર ના હોવાથી આજુબાજુના વિસ્તારમાં મહિલાને લઈ જઈ ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેઓ ક્યાં રહે છે તે મળેલ ના હોવાથી મોરબી સખી વન સ્ટોપ   સેન્ટરમાં આશ્રય અપાવવામાં આવેલ મહિલાએ 181 અભયમ ટીમનો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

શ્રી ગાયત્રી શક્તિપીઠ-વાંકાનેર દ્રારા તા.૧૬ ના રોજ સ્નેહ મિલન

દરેક વર્ષની જેમ આ વર્ષે ગાયત્રી પરિવાર દ્વારા સ્નેહ મિલનનું આયોજન રાખેલ છે.આપ સૌનું નૂતન વર્ષ સુખમય સમૃદ્ધિ મય નિવડે આ દિવ્ય તહેવાર આપના જીવનને ખુશીઓ અને ઉમંગથી ભરી દે તેવી શુભકામનાઓ સાથે આવતી કાલ તા.૧૬ ને ગુરુવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે સ્નેહમિલન યોજાશે જેમા હાજર રહેવા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News