મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી


SHARE











મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમા બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯) અને શુભાંગીબેન ડોડીયા વચ્ચે ઝગડો થયો હતો.શેરીમાં ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે બોલાચાલ તેમજ ઝઘડો થયો હતો.જેમાં બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાને સોંપવામાં આવેલી હોય હાલ તપાસ અધિકારી દ્વારા શુભાંગીબેન પ્રદીપસિંહ પ્રવિણસિંહ ડોડીયા (૨૬) અને હરપાલસિંહ પ્રદીપસિંહ ડોડીયા (૨૪) રહે.બંને મારુતિ પાર્ક સોસાયટી વાળાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારામાં દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામે જયેશભાઈ પ્રભુભાઈ દેત્રોજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ભારતીબેન રાકેશભાઈ ઉદયસિંગ આદિવાસી નામની ૩૦ વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કયા કારણોસર ભારતીબેને ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ તપોવન રેસીડેન્સી ઉત્સવ હાઈટ બ્લોક નંબર ૫૦૧ માં રહેતા હંસાબેન હસમુખભાઈ સંઘાણી નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરે પારિવારિક ઝઘડામાં પતિ દ્વારા ધક્કો લાગી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News