મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી


SHARE











મોરબીના વાવડી રોડે શેરીમાં કચરો ભેગો કરવા બાબતે મહિલાઓ વચ્ચેની બઘડાટીમાં બે સામે કાર્યવાહી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મારૂતિ પાર્કમાં શેરી વાળવા બાબતે અને ઘર પાસે કચરો ભેગો કરવા બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ઝઘડો થયો હતો અને સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.જેમા બે સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર પાસે મારુતિ પાર્કમાં રહેતા પાયલબેન વિશાલભાઈ લાવડીયા જાતે આહિર (૨૯) અને શુભાંગીબેન ડોડીયા વચ્ચે ઝગડો થયો હતો.શેરીમાં ઘર પાસે કચરો ભેગો ન કરવા બાબતે બોલાચાલ તેમજ ઝઘડો થયો હતો.જેમાં બંને પક્ષેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સામસામે ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડીયાને સોંપવામાં આવેલી હોય હાલ તપાસ અધિકારી દ્વારા શુભાંગીબેન પ્રદીપસિંહ પ્રવિણસિંહ ડોડીયા (૨૬) અને હરપાલસિંહ પ્રદીપસિંહ ડોડીયા (૨૪) રહે.બંને મારુતિ પાર્ક સોસાયટી વાળાઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટંકારામાં દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા નાના ખીજડીયા ગામે જયેશભાઈ પ્રભુભાઈ દેત્રોજાની વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારના ભારતીબેન રાકેશભાઈ ઉદયસિંગ આદિવાસી નામની ૩૦ વર્ષની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.કયા કારણોસર ભારતીબેને ઉપરોક્ત પગલું ભર્યું..? તે દિશામાં એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયાએ આગળની તપાસ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ તપોવન રેસીડેન્સી ઉત્સવ હાઈટ બ્લોક નંબર ૫૦૧ માં રહેતા હંસાબેન હસમુખભાઈ સંઘાણી નામના ૫૮ વર્ષીય વૃદ્ધાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરે પારિવારિક ઝઘડામાં પતિ દ્વારા ધક્કો લાગી જતા ઇજાઓ થવાથી તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News