મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીની ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા પરણીતા રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીની ફોરેસ્ટ કોલોનીના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતા પરણીતા રાજકોટ ખસેડાઇ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ આરએફઓ ક્વાર્ટરમાં રહેતા ગરાસીયા પરિવારની પરણીતા કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે રાત્રિ દરમિયાન ગળેફાંસો ખાઈ ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું અને હાલત નાજુક હોવાનું બી ડિવિઝન પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ આરએફઓ ક્વાટર (ફોરેસ્ટ કોલોનીના ક્વોટર) માં રહેતા ક્રિષ્નાબા જયદીપસિંહ જાડેજા જાતે દરબાર નામની ૨૬ વર્ષીય પરિણીતા ગઈકાલ તા.૧૦-૧૧ ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ ગયા હતા.જેથી તેઓને ગંભીર હાલતમાં મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ હાલ ભોગ બનેલ પરિણીતાને વધુ સારવાર માટે હાલ તેને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે અને આ બાબતે હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોવાથી હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ બનાવની પ્રાથમિક નોંધ કરીને કયા કારણોસર ક્રિષ્નાબા જાડેજા દ્વારા ઉપરોક્ત પગલું ભરવામાં આવ્યું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનસીપ વિસ્તારમાં રહેતી ઉર્વીબેન રામેશ્વરભાઇ જેઠલોજા નામની ૧૬ વર્ષની સગીરા કોઈ કારણોસર વંદા મારવાની દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબી સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા તેમ બી ડિવિઝન પોલીસ દ્વારા જણાવવામાં આવેલ છે.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના પીપળી ગામે રહેતા સગાને ત્યાં કોઈ પ્રસંગ હોય અને ત્યાં ગત તા.૩૦-૧૦ ના રોજ ગયા હતા ત્યારે પેટમાં દુખાવો થતો હોય અને માથામાં દુખાવો થતો હોય ઉર્વીબેન વંદા મારવાની દવા પી ગયા હતા..! જેથી જે તે સમયે મંગલમ હોસ્પિટલમાં લઈ જવાય હતા અને બાદમાં ગઈકાલે સમર્પણ હોસ્પિટલમાં લઈ જવાયા હોવાનું પોલીસે જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શક્તિ ચોક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા રવિભાઇ મોહનભાઈ ગોહેલ (ઉંમર ૪૦) રહે.ત્રિમૂર્તિ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હત.જ્યાંથી પોલીસને જાણ કરવામાં આવેલી હોય પોલીસે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતું કે રવિભાઈ બાઇક લઈને શક્તિ ચોક પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થતા સારવારમાં લઈ જવાયા હતા આ બાબતે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News