મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા(મિં.) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે માતાના મઢ જતા પદયાત્રી પરિવારને હડફેટે લેતા માતા-પુત્રના મોતઃ ટ્રક ચાલકની ધરપકડ


SHARE











માળીયા(મિં.) શહેનશાવલીની દરગાહ પાસે ટ્રકે માતાના મઢ જતા પદયાત્રી પરિવારને હડફેટે લેતા માતા-પુત્રના મોતઃ ટ્રક ચાલકની ધરપકડ

મોરબી જિલ્લામાં થોડા દિવસો પહેલા લક્ષ્મીનગર ગામના પાટિયા પાસે માતાના મઢ જતા બે પદયાત્રી પૈકીના એકને ક્રેન ચાલકે હડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવની શાહી સુકાઇ નથી ત્યાં શનિવારે માળીયા તાલુકામાં હરીપર ગામના પાટિયા પાસે વધુ એક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાના મઢ જતા પતિ, પત્ની અને તેના બાળકને ટ્રક ચાલકે હડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ અને યુવાન અને તેના પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જયાં ટુંકી સારવાર બાદ બાળકનું પણ મોત નિપજયુ હતુ જે અંગે ફરીયાદ નોંધાવાતા માળીયા પોસીલે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરેલ છે.

મોરબી જિલ્લામાં માળીયા(મિં.) તાલુકામાં હરીપર ગામના પાટીયા પાસે શહેરનશાવલીની દરગાહ આવેલ છે ત્યાં ગત શનિવારના રોજ અકસ્માત થયો છે જેમાં માતાના મઢ જતા ધરમનગર (નવાગામ) ના રહેવાસી એવા પદયાત્રી કોળી પરિવારને ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૩૮૭ ના ચાલકે ડફેટે લેતા મહિલા અને તેના ઇજાગ્રસ્ત દિકરાનું મોત નિપજયુ હતુ.સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પતિ-પત્ની અને તેમના બાળકને ટ્રકચાલક ગણેશભાઇ સુભકરણભાઇ ગઢવી રહે.પડાણા ગાંધીધામએ હડફેટે લીધા હતા.જે ગોજારા અકસ્માતમાં કૈલાસબેન હરપાલભાઇ ધામેચા જાતે કોળી (ઉંમર ૩૩) રહે.ધરમનગર(નવાગામ) માળીયા નામની મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ અને મૃતકના પતિ ધામેચા હરપાલભાઇ મેરૂભાઇ અને તેઓના દીકરા ધાર્મિકને ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જો કે, ટુંકી સારવાર દરમ્યાન ધાર્મિક નામના બાળકનું પણ મોત નિપજયુ હોય અકસ્માતમાં માતા-પુત્રના મોત થયા હતા અને હરપાલભાઇ સહીત બે ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હોવાનું સુત્રો પાસેથી જાણવા મળેલ છે. 

હાલમાં માળિયા પોલીસ મથક ખાતે ઉપરોકત બનાવ અંગે હરપાલભાઇના પિતા મેરૂભાઇ નરશીભાઇ ધામેચા જાતે કોળી રહે.ધરમનગર (નવાગામ) તા.માળીયાએ ટ્રક ચાલક સામે ફરીયાદ નોંધાવતા માળીયા પીએસઆઇ વી.બી.રાઇમાએ ટ્રક ચાલક ગણેશભાઇ ગઢવી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરેલ છે.






Latest News