વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો


SHARE











વાંકાનેરના તીથવામાં ઢોરને તગડવા બાબતે માતા-દીકરીને ચાર વ્યક્તિએ માર માર્યો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ઘર પાસેથી માલધારી ઢોર લઈને નીકળતા માલધારીના ઢોરને તગડતા માલધારીને સારું લાગ્યું ન હતુ જેથી કરીને તેને મહિલા અને તેની દીકરીને લાકડી વડે માર માર્યો હતો જેથી ભોગ બનેલી મહિલાહાલમાં ચાર શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રૂકશાનાબેન યુસુફભાઈ શેખ (૩૭) એ હાલમાં સાદુભાઈ કુંભાભાઈ ભરવાડ, મંગાભાઈ પરબતભાઇ, જશુબેન અને ભરતભાઈ જીવણભાઈની સામે ફરિયાદ નોંધાવી છે કે જેમાં તેને જણાવ્યુ છે કે, ભરતભાઈ તેઓના ઘર પાસેથી ઢોર લઈને જતાં હતા ત્યારે પાડોશી કંકુબેનની દીકરી જાનું શેરીમાં રમતી હતી અને તેને ગાયને તગડતા ભરતભાઈને સારું નહીં લાગતાં તેણે ગાળો બોલવાની શરૂ કરી હતી અને ભરતભાઈને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્કેરાઇ ગયા હતા અને ભરતભાઈતેના હાથમાં રહેલી લાકડી ફરિયાદી અને તેની દીકરી સુગરાને મારી હતી અને અન્ય આરોપીઓએ ગાળો બોલીને જાનથી મારી દેવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા મહિલાની ફરિયાદ લઈને પોલીસે મહિલા સહિત ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી






Latest News