રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











મોરબીની કોર્ટમાંથી એટ્રોસીટી-જાનથી મારી નાખવાની ધમકીના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

મોરબીમાં દંપતીને જાહેરમાં જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

ગત તા. ૧/૬/૧૫ ના અઢીથી ત્રણ વાગ્યાના અરસામાં આ કામમાં ફરીયાદી તથા આરોપીઓની વચ્ચે મોરબી ડેપ્યુટી કલેકટરની ઓફીસમાં વાકડા ગામની જમીન મેટર (વાધા તકરાર) ચાલતી હોય જેમા ફરીયાદી તથા સાહેદ તેના પતિની મુદત હોય મુદતે જતા આરોપીઓએ મળી ફરીયાદી તથા તેના પતિને ગાળો આપી જમીનનો કબજો ખાલી કરી દેજો નહીતર જાનથી મારી નાખીશ તેવી ગુનાહીત ધમકી આપી હતી અને આરોપીઓએ ફરીયાદી તથા તેના પતિને જમીનનો કબજો ખાલી કરી દેજો તેમ કહી જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપમાનીત કર્યા હતા જે અંગેની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી અને આરોપીની ધરપકડ કરેલ હતી

આ કેશ મોરબીના એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં શરૂ થયેલો હતો અને આરોપી વીનોદ મોહનભાઈ દેત્રોજા વતી મોરબીના યુવા ધારાશાસ્ત્રી જીતેન અગેચાણીયા રોકાયેલ હતા આ કામે ફરીયાદી પક્ષે ફરીયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા તપાસ કરનાર અધીકારી વીગેરેની જુબાની લેવામાં આવેલ હતી અને તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ કરવામાં આવેલ કે, આ કામે ફરીયાદ પક્ષે ફરીયાદ મુજબની હકીકત જણાવેલ નથી. અને ફરીયાદી પક્ષેના સાહેદોએ ફરીયાદીને સમર્થન કારી જુબાની આપેલ નથી. અને આ કામના ભોગ બનનારના સગાઓએ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખીક પુરાવામાં ફરીયાદ પક્ષના કેસને કે તેમના નીવેદનને સમર્થન આપેલ નથી. આ બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ જીતેન અગેચાણીયાની તમામ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તમામ આરોપીને નીર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે આ કેસમા આરોપી તરફે યુવાન એડવોકેટ જીતેન ડી.અગેચાણીયા, જે.ડી. સોલંકી, એમ.આર. ગોલતર, હીતેશ પરમાર, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા રોકાયેલ હતા.






Latest News