મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર


SHARE







મોરબીના મંદરકિ ગામે પ્રમોલગેશન નોંધ બાબતે થયેલ રિવિઝન અરજી નામંજૂર

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટીમાં રદ કરવા રીવીઝન અરજી દાખલ કરી હતી જે કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવેલ છે

મોરબીના મંદરકિ ગામની પ્રમોલગેશન નોંધ બાબતે રેવન્યુ હાયર અપીલીય ઓથોરિટી મોરબીનો મહત્વનો ચુકાદો આવેલ છે જે કેસની હકિકત એવી છે કે, જુના ઘાટીલા ગામના હસમુખભાઈ મગનભાઈ પટેલ વિગેરેએ ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલ સામે મોરબી જીલ્લા કલેક્ટર અપીલીય ઓથોરિટી સમક્ષ માળીયા મી. તાલુકાના મંદરકિ ગામના રે.સ.નં. ૧૮ અગેની પ્રમોલગેશન નોંધ નં.૨૧ અને ત્યારબાદ ઉતરોત્તર નોંધ રદ કરવા રીવીઝન અરજી નં.૫/૨૦૨૩ થી દાખલ કરી હતી અને તે રીવિઝનના કામે કાયદાકીય દલીલો, રજુઆતો ધ્યાને લઈને તેઓની સદરહું રીવિઝન અરજી સમયમર્યાદાના મુદે, કાર્યક્ષેત્રના મુદે તેમજ રેકર્ડકિય વિગતોને ધ્યાને લઈને કેસના ગુણદોષ આધારે રિવિઝન અરજી નામંજૂર કરતો હુકમ તા.૯/૧૦/૨૦૨૩ ના રોજ મોરબીના જિલ્લા કલેક્ટરે કરેલ છે, આ રિવિઝન અરજીના કામે સામાવાળા ભગવાનજીભાઈ અમરશીભાઈ હળવદિયા તેમજ ઉર્મિલાબેન શીવલાલભાઈ પટેલના વકિલ તરીકે મોરબીના રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા






Latest News