મોરબીમાં ડૉ.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો
Morbi Today
મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો
SHARE
મોરબીના ગાયત્રી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાયો
મોરબી ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ગાયત્રી ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ૧૪- વાઘપરા ખાતે આવેલ ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે
આગામી તા.૧૫ ને રવિવારે રાત્રે ૯:૩૦ વાગ્યે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સામાજિક અગ્રણી દીલીપભાઈ ભટ્ટ, પ્રમુખ અને ટ્રસ્ટી જગદીશભાઈ ઓઝા, ટ્રસ્ટી મંત્રી પ્રદીપભાઈ દવે, ટ્રસ્ટી અંબરીશભાઈ જોશી, સુરેશભાઈ પંડ્યા, ભુપતભાઇ પંડ્યા, રજનીકાંતભાઈ ભટ્ટ, વિપુલભાઈ અમદાવાદી, ગીરીશભાઈ જોશી અને મહિધરભાઈ દવે સહિતના હાજર રહેશે જેથી ત્યાં હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે









