મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE











હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતી મહિલા વાડીએ કોઈ અસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકો પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા નીતાબેન નવઘણભાઈ દલસાણીયા (૩૭) નામની મહિલાએ પોતે વાડી વિસ્તારમાં હતી ત્યારે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતાબેન દલસાણીયાનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે હળવદ તાલુક પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે જોકે, મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે

માર માર્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે ભવનભાઈ વાસુભાઈ સેઢાલીયા (૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધાઓને ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શારદાબેન ડાયાભાઈ પટેલ (૬૫) અને રૂક્ષ્મણીબેન બચુભાઈ કૈલા (૮૦) નામના બે વૃદ્ધાઓને ઈજા થઈ હતી જેથી બંને વૃદ્ધાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ સબળસિંહ ચલાવી રહયા છે 






Latest News