ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE







હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતી મહિલા વાડીએ કોઈ અસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકો પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા નીતાબેન નવઘણભાઈ દલસાણીયા (૩૭) નામની મહિલાએ પોતે વાડી વિસ્તારમાં હતી ત્યારે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતાબેન દલસાણીયાનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે હળવદ તાલુક પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે જોકે, મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે

માર માર્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે ભવનભાઈ વાસુભાઈ સેઢાલીયા (૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધાઓને ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શારદાબેન ડાયાભાઈ પટેલ (૬૫) અને રૂક્ષ્મણીબેન બચુભાઈ કૈલા (૮૦) નામના બે વૃદ્ધાઓને ઈજા થઈ હતી જેથી બંને વૃદ્ધાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ સબળસિંહ ચલાવી રહયા છે 






Latest News