ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે


SHARE







મોરબી તાલુકાના પી.એમ. પોષણ યોજના કેન્દ્રના સ્ટાફની ભરતી કરાશે

મોરબી તાલુકાના પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં  ૭ વ્યવસ્થાપક, ૭ રસોયા તથા ૨૨ મદદનીશની સરકારશ્રીએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે ભરતી થતી હોય. જે માટે ફરજ બજાવવા ઈચ્છતા ઉમેદવારોએ ૨૫ સપ્ટેમ્બર સુધીમાં મોરબી તાલુકા મામલતદારશ્રીની કચેરી રૂમ નં.૬ મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરીએ રૂબરૂ કચેરીના કામકાજના સમયે અરજી પહોંચતી કરવાની રહેશે. જે ઉમેદવારોને ઇન્ટરવ્યું માટે બોલાવવામાં આવ્યા હોય તેને જે-તે તારીખે અભ્યાસ તથા ઉમર અંગેના અસલ આધારો સાથે સ્વખર્ચે રજુ થવાનું રહેશે.

વ્યવસ્થાપક એસ.એસ.સી પાસ હોવા જોઇએ. જો આ કેંદ્રના વિસ્તારમાં એસ. એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે. જ્યારે રસોયા તથા મદદનીશની નિમણુંક માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી. ઉમેદવારની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. અરજી ફોર્મ સાથે સ્કુલ લીવીંગ સર્ટી, માર્કશીટ, રહેણાંકનો પુરાવો, આવકનો દાખલો, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ચુંટણીકાર્ડની નકલ જોડવાની રહેશે તથા અરજી ફોર્મમાં ફોટો ચોંટાડીને પોતાનો ફોન નંબર લખવાનો રહેશે.

નવા પી.એમ.પોષણ યોજના કેન્દ્રમાં નિમણુંક માટે સમયમર્યાદામાં મામલતદાર કચેરી-મોરબી ખાતે કચેરીના સમય દરમ્યાન અરજીઓ મોકલી આપવાની રહેશે ત્યારબાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તેમજ અરજી કરી ઉમેદવારી નોંધાવી હોય તેવા ઉમેદવારોને ઈન્ટરવ્યું માટેની તારીખની જાણ કચેરી દ્વારા કરવામાં આવશે. જો કોઇપણ ઉમેદવાર ઈન્ટરવ્યુંમાં જાતે હાજર રહેવામાં કસુર કરશે તો તેઓ સંચાલક રસોયા મદદનીશ તરીકે રહેવા માંગતા નથી તેમ માની લઈ જે તે ઉમેદવારની અરજી રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે મોરબી તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાં સંપર્ક કરવા મોરબી તાલુકા મામલતદારની યાદીમાં જણાવાયું છે






Latest News