ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત


SHARE











મોરબીના રફાળેશ્વર પાસે પેપર મીલમાં દાદરા ઉપરથી નીચે પટકાયેલા યુવાનનું મોત

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે આવેલ પેપર મીલમાં નવી બનતી ઓડિ પાસે દાદરા પરથી નીચે પટકાયેલા યુવાનને સારવાર માટે મોરબીથી રાજકોટ અને ત્યાંથી અમદાવાદ લઈને ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મજૂર યુવાનનું સારવારમાં મોત નીપજ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીક રફાળેશ્વર ગામ પાસે આવેલ સરજુ પેપર મીલમાં ઓરડીમાં દસ પંદર ફૂટના દાદરા ઉપરથી નીચે પટકાયેલા મૂળ યુપીના રહેવાસી અને હાલમાં સરજુ પેપર મિલની ઓરડીમાં રહેતા ભોયાલાલ રામભવન રોહિતદાસ (૪૧) ને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી માટે તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા ભોયાલાલ રોહિદાસનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને ચુનીલાલ હીરાલાલ રોહિતદાસ (૩૧) રહેહાલ સરજુ પેપર મીલ વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News