મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

સૌરાષ્ટ્ર જનતામાં ટ્રેનના એસી કોચમાં એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને મુસાફરોએ દોઢ કલાક ટ્રેન રોકી


SHARE











સૌરાષ્ટ્ર જનતામાં ટ્રેનના એસી કોચમાં એસી બંધ હોય વાંકાનેર રેલ્વે સ્ટેશને મુસાફરોએ દોઢ કલાક ટ્રેન રોકી

વેરાવળથી બાંદ્રા જતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં એસી કોચના એસી ચાલુ ન હતા જેથી કરીને મુસાફરો દ્વારા રેલવે વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જો કે આ ટ્રેન વાંકાનેર સુધી આવી ગઈ ત્યાં સુધી તેના એસી કોચના એસી ચાલુ કરવામાં આવ્યા ન હતા જેથી કરીને માત્ર બે મિનિટનો વાંકાનેર સ્ટેશને આ ટ્રેનનો સ્ટોપ હતો ત્યાં મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી ગયા હતા અને દોઢ કલાક સુધી ધમાલ કરી ત્યારે ટ્રેનમાં એસી ચાલુ કરીને વાંકાનેરથી મુસાફરોને ટ્રેનમાં બેસાડીને ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી

દરરોજ વેરાવળથી બાંદ્રા તરફ જવા માટે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ટ્રેન બપોરે વેરાવળથી ઉપડે છે તેવી જ રીતે ગૂરૂવારે પણ ઉપાડી હતી જો કે, આ ટ્રેનના એસી કોચના એસી ચાલુ ન હોવાથી મુસાફરો દ્વારા રેલ્વે વિભાગમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી તો પણ એસી ચાલુ કરવામાં ન આવતા વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન પહોચી અને ત્યાં માત્ર બે જ મિનિટનો ટ્રેનનો સ્ટોપ હતો જો કે, મુસાફરોએ એસી મુદે હંગામો કરતાં રેલવેના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અત્રે ઉલેખનીય છે કે, જે સ્ટેશને માત્ર બે જ મિનિટનો સ્ટોપ હતો ત્યાં મુસાફરોએ એસી કોચમાં એસી બંધ હતા તે મુદાને લઈને દોઢ કલાક સુધી ટ્રેનને રોકી રાખી હતી અને જેથી કરીને વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં તાત્કાલિક એસી ચાલુ કરાવીને સાંજે 5:34 કલાકે આ ટ્રેનને બાંદ્રા તરફ રવાના કરવામાં આવી હતી






Latest News