ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક ઝેરી દવા પી જતાં યુવાનનું મોત


SHARE











મોરબીના બેલા ગામ નજીક ઝેરી દવા પી જતાં યુવાનનું મોત

મોરબી નજીકના બેલા ગામે ગઈકાલે સાંજે ઝેરી દવા પી ગયેલ યુવાનને મોરબી ખાતે સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલ મોરબી તાલુકાના બેલા ગામે ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલ ખેતરે રહીને ખેત મજૂરીનું કામ કરતો શેતાન બાબુભાઇ મોહનીયા નામનો ૩૫ વર્ષીય પરપ્રાંતિય મજુર યુવાન ગઇકાલ તા.૨૬-૯ ના સાંજે સાતેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ગત રાત્રીના શેતાન બાબુ મોહનિયા નામના ૨૪ વર્ષીય પરપ્રાંતીય મજૂર યુવાનનું મોત નીપજયું હતું.મૃતક શેતાન મોહનીયા પરિણીત હતો અને તેને ચાર સંતાનો હોય તેના મોતને પહલે ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોય તાલુકા પોલીસ મથકના મનિષભાઈ બારૈયાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે સેમસંગ સિરામિકના લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતી બબલીબેન પંકેશભાઇ આહીર નામની ૨૭ વર્ષીય મહિલાને તેના લેબર કવાટરની પાસે મોડી રાત્રીના સાપ કરડી જતા તેણીને મોરબીની સિવિલ હોસ્પિટલે અને બાદમાં અહિંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના જે.પી.વસાણીએ આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના પંચાસિયા ગામે રહેતા પ્રભાબેન વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર નામની ૨૯ વર્ષીય મહિલાએ પણ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હોય તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.






Latest News