મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE







મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી ત્રણ ઇસમોની ટોળકીને ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૧ બાચકા સાથે પકડાઈ છે જેથી પોલીસે તેની પાસેથી હાલમાં ચોરી કરેલ માલ અને બાઇક મળીને ૮૦ હજારનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે ભડિયાદ પાસેથી સી.ડી. ડીલક્ષ બાઇક નં. જીજે ૩ આરએસ ૧૭૫૮ લઈને નીકળતા તેની પાસે પેબલ (પથ્થર) ના ચોરી કરેલા ચાર બાચકા મળી આવ્યા હતા જેથી તેની સઘન પુછપરછ કરતા તેઓએ રફાળેશ્વર ક્રાઉન સિરામીકમાંથી પેબલની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું અને અગાઉ ૨૭ બાચકા ચોરી કરીને ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા વાળા ભાડેથી રાખેલ મકાનમાં રહે છે ત્યાં રાખ્યા હતા જેથી કરીને પોલીસે ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ ( પથ્થર ) ના કુલ મળીને ૩૧ બાચકા જેની કિંમત ૬૦૦૦૦ અને ૨૦૦૦૦ નું બાઇક મળીને ૮૦૦૦૦ ના મુદામાલ સાથે ચેતનભાઇ અગરસંગભાઇ કોઠારીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. ક્રાઉન સિરામીકરફાળેશ્વર રોડ મુળ રહે. જુની મોરવાડ, મહેશભાઇ વિનુભાઇ તાવીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુરચર માતાજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે. રામપરા અને ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુચર માતાજીના મંદિર પાછળમોરબી મુળ જનડા કટેવારીયાવિંછીયા વાળાને પકડીને પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી






Latest News