ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા


SHARE











મોરબીના ભડીયાદ ગામેથી ચોરાઉ પેબલ (પથ્થર) સાથે ત્રણ શખ્સ ઝડપાયા

મોરબી તાલુકાના ભડીયાદ ગામ પાસેથી ત્રણ ઇસમોની ટોળકીને ચોરી કરી મેળવેલ ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૧ બાચકા સાથે પકડાઈ છે જેથી પોલીસે તેની પાસેથી હાલમાં ચોરી કરેલ માલ અને બાઇક મળીને ૮૦ હજારનો મુદામાલ કબજે કરેલ છે

મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ અજીતસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી આધારે ભડિયાદ પાસેથી સી.ડી. ડીલક્ષ બાઇક નં. જીજે ૩ આરએસ ૧૭૫૮ લઈને નીકળતા તેની પાસે પેબલ (પથ્થર) ના ચોરી કરેલા ચાર બાચકા મળી આવ્યા હતા જેથી તેની સઘન પુછપરછ કરતા તેઓએ રફાળેશ્વર ક્રાઉન સિરામીકમાંથી પેબલની ચોરી કરી હોવાનું જણાવ્યુ હતું અને અગાઉ ૨૭ બાચકા ચોરી કરીને ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા વાળા ભાડેથી રાખેલ મકાનમાં રહે છે ત્યાં રાખ્યા હતા જેથી કરીને પોલીસે ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ ( પથ્થર ) ના કુલ મળીને ૩૧ બાચકા જેની કિંમત ૬૦૦૦૦ અને ૨૦૦૦૦ નું બાઇક મળીને ૮૦૦૦૦ ના મુદામાલ સાથે ચેતનભાઇ અગરસંગભાઇ કોઠારીયા જાતે કોળી (ઉ.૨૦) રહે. ક્રાઉન સિરામીકરફાળેશ્વર રોડ મુળ રહે. જુની મોરવાડ, મહેશભાઇ વિનુભાઇ તાવીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુરચર માતાજીના મંદિર પાછળ, મોરબી મુળ રહે. રામપરા અને ભાવેશભાઇ ચતુરભાઇ ઝાપડીયા જાતે કોળી (ઉ.૨૩) રહે. ભડીયાદબહુચર માતાજીના મંદિર પાછળમોરબી મુળ જનડા કટેવારીયાવિંછીયા વાળાને પકડીને પોલીસે સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી. જેઠવા, સુરેશભાઇ હુંબલ, નગીનદાસ નિમાવત, અજીતસિંહ પરમાર, હરેશભાઇ આગલ, યોગીરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગઢડા તથા રવિરાજસિંહ ઝાલાએ કરી હતી






Latest News