મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત


SHARE







વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સિવિલે લઇ ગયા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ. ૧૬) નામની સગીરાએ તા ૨૪ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીરામાં મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસનીસ મણીભાઇ ગામેતી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરા ધો ૧૧ સાયન્સમાં હતી અને તેને માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેણે અંતિમ પગલુ ભરી લીધેલ છે






Latest News