ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં માતા પિતાએ આભ્યાસ માટે ઠપકો દેતા સગીરાએ કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતી સગીરાને તેના માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી સગીરાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને સિવિલે લઇ ગયા હતા અને આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની તપાસ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળી રહેલી માહિતી મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ. ૧૬) નામની સગીરાએ તા ૨૪ ના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. બાદમાં સગીરામાં મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પીટલમાં ખસેડાયો હતો અને આ બનાવની વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી અને તપાસનીસ મણીભાઇ ગામેતી પાસેથી મળતી માહિતી મુજબ મૃતક સગીરા ધો ૧૧ સાયન્સમાં હતી અને તેને માતા પિતાએ અભ્યાસ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેણે અંતિમ પગલુ ભરી લીધેલ છે






Latest News