મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા
Breaking news
Morbi Today

હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું


SHARE











હળવદમાં પત્ની રિસામણે હોય યુવાને ન કરવાનું કર્યું

હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા યુવાનની પત્ની રિસામણે હોય તે માનસિક તળાવમાં રહેતો હતો દરમિયાન તેને પોતાના ઘરની અંદર છતના હુક સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પિતા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેમના દ્વારા આ બનાવાની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં બસ સ્ટેશનની પાછળના ભાગમાં રહેતો રવિભાઈ સુરેશભાઈ સોલંકી જાતે અનુ.જાતિ (ઉમર ૨૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરની અંદર છતના હુકમાં સાડી બાંધીને પોતે પોતાની જાતે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના મૃતદેહને તેના પિતા સુરેશભાઈ ડાયાભાઈ સોલંકી (ઉમર ૪૩) હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ સુરેશભાઈ સોલંકી દ્વારા આપઘાતના આ બનાવ અંગેની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ.આલ ચલાવી રહ્યા છે અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનની પત્ની રિસામણે હોય અને યુવાન માનસિક તણાવમાં રહેતો હતો દરમિયાન તેને લાગી આવતા તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીછેલ છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના હળવદ તાલુકાના રાતાભેર ગામે રહેતા ગીતાબેન ધનજીભાઈ કલોદરા નામની ૪૨ વર્ષીય મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવી હતી.ગીતાબેન કોઈ કારણસર તેમના ઘરે એસિડ પી ગયા હોય તેઓના સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવતા મોરબી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરી બનાવના કારણ અંગે વધુ તપાસ અર્થે આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના શિવપુર ગામે રહેતા વાસુભાઈ ઈશ્વરભાઈ ઠાકોર નામના ૨૨ વર્ષના યુવાને ગામમાં કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સાવયરવાર માટે મોરબીની મંગલમ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરવામાં આવી હતી






Latest News