મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ


SHARE











વાંકાનેરના રાતડીયા ગામે માલધારી સમાજના વિકાસ મુદ્દે મીટિંગ યોજાઈ

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે માલધારી સમાજની મીટિંગ યોજાઈ હતી જેમાં માલધારી સમાજનાં વિવિધ પ્રશ્નો અને સમાજનાં વિકાસ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાતડીયા ગામે તા. 23 નાં રોજ સમગ્ર માલધારી સમાજની મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાનાભાઈ - મોટાભાઈ ભરવાડ સમાજનાં બન્ને જુથ એકત્રિત થયા હતાં, અને સમાજનાં નાના મોટા પ્રશ્નો સૌ આગેવાનોએ સાથે બેસી હલ કર્યા હતાં, અને સૌ સાથે મળીને માલધારી સમાજનાં વિકાસ કાર્યો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં મચ્છુ ધામ ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અને તાલુકા ભાજપ મહામંત્રી હીરાભાઈ એન. બાંભવા, અરજણભાઈ ડાભી, ગેલાભાઈ મુંધવા, મશરૂભાઈ સરૈયા, મશરૂભાઈ મુંધવા, સિંધાભાઈ ભૂવા, નાનાભાઈનાં અગ્રણી નાજાભાઈ, ગગજી ભાઈ, વિઠ્ઠલભાઈ, વાંકાનેર તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભગવાનજી ભાઈ મેર, સહિત ગામેગામનાં આગેવાનોએ સાથે બેસી માલધારી સમાજનાં વિકાસ કાર્યો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.






Latest News