ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન


SHARE







માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન

માળીયા મિયાણાના ખીરઈ(પંચવટી) ગામની ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે  પાણી ભરાઇ ગયેલ છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ખીરઈ(પંચવટી) ગામે  સરકાર દ્વારા એક રોડ બનાવવામાં આવેલ છે આ રોડના પલાનીંગ  તથા કામમાં અક્ષમ્ય બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે જયારે પણ વરસાદ થાય છે. ત્યારે રોડની સાઈડ  ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેથી તે ખાતેદારોનો  પાક બળી જવાથી તેઓએને મોટું આર્થીક નુકશાન થાય છે. આવું છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે આ બાબતે ગયા વર્ષે અધિકારીને રૂબરૂ મુલાકાત પણ કરાવવામાં  આવેલ હતી. તેઓએ હૈયા ધારણા પણ આપેલ હતી કે, હવેથી તમારો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ  થઇ જશે પરંતુ આ બાબતે કોઈ જ કાયર્વાહી ન થતા  આ વર્ષે પણ ખેતરો માં પાણી ભરાયેલ  છે જેથી કરીને તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહિ આવે તો આ વર્ષે પણ પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે અને જો કોઈ કામ નહિ કરવામાં આવે તો ખેડૂતોને મોટું આર્થીક નુકશાન જશે અને ના છુટકે કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News