મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન


SHARE











માળીયા (મી)ના ખીરઈ પાસે આડેધડ બનેલા રોડના લીધે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને નુકશાન

માળીયા મિયાણાના ખીરઈ(પંચવટી) ગામની ખેડૂતોના ખેતરમાં પાણીના નિકાલના અભાવે  પાણી ભરાઇ ગયેલ છે અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને થયેલ નુકશાનનું વળતર ચુકવવા માટે મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે

મોરબી જીલ્લાના માળિયા તાલુકાના ખીરઈ(પંચવટી) ગામે  સરકાર દ્વારા એક રોડ બનાવવામાં આવેલ છે આ રોડના પલાનીંગ  તથા કામમાં અક્ષમ્ય બેદરકારીના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે જયારે પણ વરસાદ થાય છે. ત્યારે રોડની સાઈડ  ખેતરોમાં પાણી ભરાઈ રહે છે, જેથી તે ખાતેદારોનો  પાક બળી જવાથી તેઓએને મોટું આર્થીક નુકશાન થાય છે. આવું છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યું છે આ બાબતે ગયા વર્ષે અધિકારીને રૂબરૂ મુલાકાત પણ કરાવવામાં  આવેલ હતી. તેઓએ હૈયા ધારણા પણ આપેલ હતી કે, હવેથી તમારો પ્રશ્ન કાયમી ધોરણે સોલ્વ  થઇ જશે પરંતુ આ બાબતે કોઈ જ કાયર્વાહી ન થતા  આ વર્ષે પણ ખેતરો માં પાણી ભરાયેલ  છે જેથી કરીને તાત્કાલિક કોઈ પગલા લેવામાં નહિ આવે તો આ વર્ષે પણ પાક બળી જશે અને ખેડૂતોને મોટું નુકશાન થશે અને જો કોઈ કામ નહિ કરવામાં આવે તો ખેડૂતોને મોટું આર્થીક નુકશાન જશે અને ના છુટકે કોર્ટનો આશરો લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે






Latest News