ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા અકસ્માત બનાવોમાં ચારને ઈજા


SHARE











મોરબીમાં જુદાજુદા અકસ્માત બનાવોમાં ચારને ઈજા

મોરબીમાં જુદીજુદી જગ્યાઓએ ચાર વાહન અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારાના ભરવાડવાસમાં રહેતી રાજલબેન દેવાભાઈ પોલાભાઈ ઝાપડા જાતે ભરવાડ નામની ઓગણીસ વર્ષીય યુવતી બાઈકની પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે રસ્તામાં બાઇકની આડે ગાય આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા રાજલબેન ઝાપડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતી રીટાબેન દલપતભાઈ ચાવડા નામની એકવીસ વર્ષીય યુવતીને અહિંના રામચોક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં રીટાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા.

તેમજ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા લાખુભા મહોબ્બતસિંહ ઝાલા નામના ૫૮ વર્ષિય આધેડ લીલાપર રોડ ઉપર રામદેવપીર મંદિર નજીકથી જતા હતા ત્યારે તેમના બાઇકના આડે પણ ઓચિંતી ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા લાખુભા ઝાલાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ અવધ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા જીવરાજભાઈ શિવલાલભાઈ ફૂલતરીયા નામના ૫૬ વર્ષીય આધેડ જેલ રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક તેમના બાઈકની આડે પણ ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જીવરાજભાઈ ફુલતરીયાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.

અત્રે નોંધનીય છે કે શહેરમાં મોટાભાગના ટુ-વ્હીલરના થતા વાહન અકસ્માતો રસ્તા ઉપર રઝળતા ઢોરના લીધે થતા હોય મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રઝડતા ધણીયાતા ઢોર માટે તેના માલીક પાસેથી નિયમાનુસાર દંડ વસુલવામાં આવે અને નધણીયયાતા ઢોરને પકડીને ડબ્બે પૂરવામાં આવે અથવા પાંજરાપોળમાં મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.






Latest News