મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં જુદાજુદા અકસ્માત બનાવોમાં ચારને ઈજા


SHARE













મોરબીમાં જુદાજુદા અકસ્માત બનાવોમાં ચારને ઈજા

મોરબીમાં જુદીજુદી જગ્યાઓએ ચાર વાહન અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં ઘવાયેલા ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા ટંકારાના ભરવાડવાસમાં રહેતી રાજલબેન દેવાભાઈ પોલાભાઈ ઝાપડા જાતે ભરવાડ નામની ઓગણીસ વર્ષીય યુવતી બાઈકની પાછળના ભાગે બેસીને જતી હતી ત્યારે રસ્તામાં બાઇકની આડે ગાય આવતા બાઇક સ્લીપ થઈ ગયું હતું.જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા રાજલબેન ઝાપડાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ ભીમરાવનગરમાં રહેતી રીટાબેન દલપતભાઈ ચાવડા નામની એકવીસ વર્ષીય યુવતીને અહિંના રામચોક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતાં રીટાબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા.

તેમજ મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા લાખુભા મહોબ્બતસિંહ ઝાલા નામના ૫૮ વર્ષિય આધેડ લીલાપર રોડ ઉપર રામદેવપીર મંદિર નજીકથી જતા હતા ત્યારે તેમના બાઇકના આડે પણ ઓચિંતી ગાય ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા લાખુભા ઝાલાને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલ અવધ સોસાયટી શેરી નંબર-૧ માં રહેતા જીવરાજભાઈ શિવલાલભાઈ ફૂલતરીયા નામના ૫૬ વર્ષીય આધેડ જેલ રોડ ઉપરથી બાઈક લઈને જતા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક તેમના બાઈકની આડે પણ ગાય આડી ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને જીવરાજભાઈ ફુલતરીયાને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.

અત્રે નોંધનીય છે કે શહેરમાં મોટાભાગના ટુ-વ્હીલરના થતા વાહન અકસ્માતો રસ્તા ઉપર રઝળતા ઢોરના લીધે થતા હોય મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રઝડતા ધણીયાતા ઢોર માટે તેના માલીક પાસેથી નિયમાનુસાર દંડ વસુલવામાં આવે અને નધણીયયાતા ઢોરને પકડીને ડબ્બે પૂરવામાં આવે અથવા પાંજરાપોળમાં મુકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.






Latest News