મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ટંકારાના હીરાપર ગામે અજુગતું પગલું ભરી ગયેલ પરણીતાનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબી : ટંકારાના હીરાપર ગામે અજુગતું પગલું ભરી ગયેલ પરણીતાનું સારવાર દરમિયાન મોત

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવેલ હીરાપર ગામે કારખાનાની અંદર મજૂરી કામ કરી ત્યાં લેબર કવાટરમાં રહેતી પરણીતાએ ગળેફાંસો ખાતા તેણીને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને અહીં ટૂંકી સારવાર દરમિયાન આદિવાસી મહીલાનુ મોત નિપજયુ હોય આ બાબતે પોલીસમાં જાણ કરાતા હવે પોલીસે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ટંકારાના હીરાપર ગામે આવેલ એડિકા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં આવેલ લેબર ક્વાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મંજુબેન ભેરૂભાઈ ગણાવા (ઉમર ૨૦) નામની આદિવાસી મહિલાએ તા.૨૦ ના રાત્રિના ૧૧ વાગ્યાના અરસામાં તેઓના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાધો હતો જો કે તેના પતિને જાણ થતા તેઓએ તેણીને બચાવીને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડી હતી.અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર દરમિયાન મંજુબેન ભેરૂભાઈ ગણાવા નામની ૨૦ વર્ષીય પરણીતાનું મોત નીપજ્યું હતું હાલ હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવ ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હોય આગળની તપાસ અર્થે ટંકારા પોલીસને જાણ કરી હતી.

મજુર યુવાન સારવારમાં

મૂળ ઉત્તર પ્રદેશના ગુના જિલ્લામાં આવેલ બમોલી તાલુકાના શિકારી ગામના રહેવાસી અને હાલ મોરબીના સામા કાંઠે લગધીરપુર રોડ ઉપર આવેલ સમર્પણ સીરામીકના લેબરકોટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા મહોબ્બતભાઈ સરદારભાઈ નામના 27 વર્ષના યુવાનને કારખાનામાં કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર કરી જતા તેને શહેરના સામા સાથે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયો હતો હોસ્પિટલ તરફથી સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસ મથકના મહેશભાઈ કાગરા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

યુવાન સારવારમાં

મોરબીના મોટા દહીંસરા ગામે રહેતા ભરતભાઈ છગનભાઈ ઇન્દરિયા નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે નવલખી હાઇવે ઉપર પીપળીયા ચોકડી પાસેથી તે બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં અકસ્માતે તે બાઈક સહિત નીચે પટકાતા તેને ઈજા થતાં સારવાર માટે દવાખાને ખસેડાયો હતો હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આ બાબતે આગળની તપાસ હાથ ધરાઇ છે.






Latest News