માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ


SHARE











મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સરગવાના પાનનો ઉપયોગ કરવાથી કુપોષણ સહિતના રોગમાથી મુક્તિ મેળવી શકાય છે જેથી કરીને વિવિધ વાનગીમાં સરગવાના પાનનો ઉપયોગ કરવામાં આવે તે માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો ઉલેખનીય છે કે, સરગવો ૩૦૦ જેટલા રોગમાં ઉપયોગી છે અને સરગવાના પાનમાં દૂધ કરતા ૧૪ ણો વધારે કેલ્શિયમ તથા પાલક કરતાં ૯ ગણો વધારે આર્યન હોય છે અને તેમાં ઘણું બધું પોષક તત્વો હોવાથી તેનો ઉપયોગ મહિલાઓ તથા બાળકો કરે તો શરીરના પોષણમાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટમાં ક્લબ મેમ્બર પ્રજ્ઞાબેન ગોસ્વામીએ સરગવાના પાનમાંથી સુખડી, સરગવાના થેપલા તેમજ સરગવાના મુઠીયા જેવી વાનગી પોતાના ઘરે બનાવીને આંગણવાડીના બહેનોને તેમજ ક્લબના હાજર રહેલા મેમ્બરોને ટેસ્ટ કરાવી હતી અને તેની સમજણ પૂરી પાડી હતી. સરગવો બધી જગ્યાએ મળે છે અને સહેલાઇથી મળી શકે છે કોઈપણ જાતના ખર્ચ વગર તમે શરીરની તંદુરસ્તી વધારવા માટે ઉપયોગ કરી શકો છો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડન્ટ રંજનબેન સારડા, ટ્રેઝરર પુનિતાબેન છૈયા, પ્રજ્ઞાબેન ગોસ્વામી મનિષાબેન ગણાત્રા, ચેતનાબેન પાંચાલ, નિશાબેન રેખાબેન મોર તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી..




Latest News