મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ


SHARE















માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ

આગામી દિવાસીમાં માતાજીની ભક્તિનો પર્વ એટલે કે નવરાત્રિ આવી રહી છે ત્યારે માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આગામી શનિવાર તા ૨૫ થી આ કેમ્પ શરૂ થઈ જશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

ગુજરાત અને ગુજરાત બહારના જુદાજુદા વિસ્તારોમાથી નવરાત્રિ ઉપર ઘણા લોકો ચાલીને, સાઇકલ લઈને કે પછી બાઇક લઈને કચ્છમાં આશાપુરા માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે તેઓને જમવાની સાથોસાથ મેડિકલની પણ સુવિધો મળી રહે તે માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા સેવ કેમ્પ શરૂ કરવામાં આવતા હોય છે આવી જ રીતે માળીયા(મી)માં સુરજબારી પુલ પાસે હરીપર નજીક દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આ કેમ્પ આગામી શનિવાર તા ૨૫ થી શરૂ થઈ જશે અને તા ૨-૧૦ સુધી ચાલુ રાખવામા આવશે ત્યારે તમામ  યાત્રાળુઓ અને માઈભક્તોને કૅમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે આ કેમ્પમાં ૨૪ કલાક ચા અને નાસ્તો (લાઈવ), બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા તેમજ યાત્રાળુઓને  દવાઓ સહિતની સેવાઓ આપવામાં આવશે અને આ કેમ્પની વધુ વિગત માટે દયારામ ભાઈ પટેલ ૯૮૨૫૨૪૬૫૫૧, દિલીપ સિંહ જાડેજા ૯૯૭૯૧૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧૮૯૧૪૩ અને દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮૨૧૭૬૬ નો સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે






Latest News