ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ


SHARE











માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ શનિવારથી શરૂ

આગામી દિવાસીમાં માતાજીની ભક્તિનો પર્વ એટલે કે નવરાત્રિ આવી રહી છે ત્યારે માળીયા(મી)ના દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આગામી શનિવાર તા ૨૫ થી આ કેમ્પ શરૂ થઈ જશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

ગુજરાત અને ગુજરાત બહારના જુદાજુદા વિસ્તારોમાથી નવરાત્રિ ઉપર ઘણા લોકો ચાલીને, સાઇકલ લઈને કે પછી બાઇક લઈને કચ્છમાં આશાપુરા માતાજીનાં મંદિરે દર્શન કરવા માટે જતાં હોય છે ત્યારે તેઓને જમવાની સાથોસાથ મેડિકલની પણ સુવિધો મળી રહે તે માટે જુદીજુદી સંસ્થાઓ દ્વારા સેવ કેમ્પ શરૂ કરવામાં આવતા હોય છે આવી જ રીતે માળીયા(મી)માં સુરજબારી પુલ પાસે હરીપર નજીક દેવ સોલ્ટ પાસે આશાપુરા કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરૂ કરવામાં આવશે અને આ કેમ્પ આગામી શનિવાર તા ૨૫ થી શરૂ થઈ જશે અને તા ૨-૧૦ સુધી ચાલુ રાખવામા આવશે ત્યારે તમામ  યાત્રાળુઓ અને માઈભક્તોને કૅમ્પનો લાભ લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે આ કેમ્પમાં ૨૪ કલાક ચા અને નાસ્તો (લાઈવ), બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા તેમજ યાત્રાળુઓને  દવાઓ સહિતની સેવાઓ આપવામાં આવશે અને આ કેમ્પની વધુ વિગત માટે દયારામ ભાઈ પટેલ ૯૮૨૫૨૪૬૫૫૧, દિલીપ સિંહ જાડેજા ૯૯૭૯૧૦૦૩૩૩, અશ્વિનભાઈ માકડીયા ૯૮૨૪૧૮૯૧૪૩ અને દિનેશભાઈ નાકરાણી ૯૫૩૭૮૨૧૭૬૬ નો સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યુ છે






Latest News