ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય


SHARE











વાંકાનેરમાં ગણેશોત્સવ સંપન્ન: માર્કેટ ચોક કા રાજાને ભીની આંખે વિદાય 

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં સતત દસ દિવસ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લે દિવસે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવ સંપન્ન થયો હતો, અને આજરોજ વાજતે ગાજતે વિઘ્ન હર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે.

વાંકાનેર ટાઉનહોલ ખાતે પૂર્વ નગરપતિ ભાજપ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા માર્કેટ ચોક કા રાજા ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, સતત દસ દિવસ અનેક વિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાઆરતી, સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં  બહોળી સંખ્યામાં ઊમટેલાં ભાવિકોએ ગણેશોત્સવની ઉજવણી કરી હતી ત્યારે ગઈકાલે અંતિમ દિવસે આ ભવ્ય  આયોજન કરવા બદલ  માલધારી સમાજ, કોળી સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા જીતુભાઈ સોમાણીનું ફૂલહાર કરી શાલ ઓઢાડી તલવાર અર્પણ કરી અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું, આ તકે ઉપસ્થિત જનમેદનીએ પણ તાળીઓનાં ગડગડાટથી પ્રજાવત્સલ જીતુભાઈ સોમાણીને બિરદાવ્યા હતાં અને આ ભવ્ય ગણેશોત્સવ સંપન્ન થયો હતો, આજરોજ સાંજે જીનપરા ચોકથી વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણેશજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવશે અને વડસર તળાવ ખાતે વિસર્જન કરવામાં આવશે.






Latest News