ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!


SHARE











મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!
 
મોરબી પાલીકામાં રાજ ભાજપનું હોય કે કોંગ્રેસનું રૂટીમ ફરીયાદો તો વર્ષોથી ચાલ્યા જ આવે છે કારણકે કોઇના દ્રારા સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં જ આવતો નથી સરકાર લાખો નહીં કરોડોની ગ્રાંટ લોક સુખાકારી માટે ફાળવે છે છતાં સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોની મિલીભગતને લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટલાઅટ, સફાઇ, ભુગર્ભ, બાગ-બગીચાના પ્રશ્નોનો કદી કાયમી ઉકેલ લાવવામાં જ આવતો નથી અને લાખોના બીલો પાસ થઇ જવા છતાં મોરબીવાસીઓના નસીબમાં તો ફરીયાદો કરવાનું જ રહેતુ હોય પાલીકાના સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોએ આત્મંથન કરવાની જરૂર છે.
 
તાજેતરમાં એક જાગૃત નાગરીક એવા વકીલ સંજય રાજપરાએ પાલીકાને ઉદેશીને રજુઆત કરેલ છેતે હાલમાં છેલ્લા ઘણા સમયથી ધોળા દિવસે શબેરમા મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો, હેલોઝન ચાલુ રહે છે તેને સમયસર બંધ કરવાના વ્યવસ્થા ગોઠવવી જોઇએ. રજુઆતમાં જણાવ્યા મુજબ ગત તા.૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં યજ્ઞ વગેરે કાર્યક્રમો કરીને કરવામાં આવી.વડાપ્રધાન ઊર્જા બચત માટે તથા આપણા દેશને અગ્રેસર તેમજ વિશ્વ ગુરુ બનાવવા હંમેશા કાર્યશીલ છે.તેની વચ્ચે મોરબીમાં તા.૧૮ તથા ૧૯ સપ્ટેમ્બરના દિવસોમાં રવાપર રોડ, શનાળા રોડ ઉપરની સોસાયટીઓમાં તેમજ પાડાપુલ-મયુરપુલ સહિત શહેરના અનેક વિસ્તારોમાં દિવસે લાઇટો ચાલુ હતી.જોકે આ ફરીયાદ અગાઉ અન્ય એક જાગૃત નાગરીક પ્રહલાદસિંહ જાડેજાએ પીજીવીસીએલની "ઉર્જા બચાવો" રેલી સમયે કરી હતી માટે સરકારના વિજબચતના સુત્રને ચરીતાર્થ કરવા મોરબી પાલીકા કયારે કટીબધ્ધ થશે અને દિવસે ચાલુ રહેતી અને રાત્રે બંધ રહેતી સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નઓ કયારે ઉકેલશે..? એ તો આગામી સમય જ બતાવશે.





Latest News