મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!


SHARE













મોરબીમાં ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો, હેલોઝન બંધ કરવા રજૂઆત..!
 
મોરબી પાલીકામાં રાજ ભાજપનું હોય કે કોંગ્રેસનું રૂટીમ ફરીયાદો તો વર્ષોથી ચાલ્યા જ આવે છે કારણકે કોઇના દ્રારા સમસ્યાનો કાયમી ઉકેલ શોધવામાં જ આવતો નથી સરકાર લાખો નહીં કરોડોની ગ્રાંટ લોક સુખાકારી માટે ફાળવે છે છતાં સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોની મિલીભગતને લીધે રોડ-રસ્તા, સ્ટ્રીટલાઅટ, સફાઇ, ભુગર્ભ, બાગ-બગીચાના પ્રશ્નોનો કદી કાયમી ઉકેલ લાવવામાં જ આવતો નથી અને લાખોના બીલો પાસ થઇ જવા છતાં મોરબીવાસીઓના નસીબમાં તો ફરીયાદો કરવાનું જ રહેતુ હોય પાલીકાના સતાધીસો તેમજ અધીકારી અને પેધી ગયેલ સ્ટાફ-કોન્ટ્રાકટરોએ આત્મંથન કરવાની જરૂર છે.
 
તાજેતરમાં એક જાગૃત નાગરીક એવા વકીલ સંજય રાજપરાએ પાલીકાને ઉદેશીને રજુઆત કરેલ છેતે હાલમાં છેલ્લા ઘણા સમયથી ધોળા દિવસે શબેરમા મોટા ભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો, હેલોઝન ચાલુ રહે છે તેને સમયસર બંધ કરવાના વ્યવસ્થા ગોઠવવી જોઇએ. રજુઆતમાં જણાવ્યા મુજબ ગત તા.૧૭ સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસની ઉજવણી દેશભરમાં યજ્ઞ વગેરે કાર્યક્રમો કરીને કરવામાં આવી.વડાપ્રધાન ઊર્જા બચત માટે તથા આપણા દેશને અગ્રેસર તેમજ વિશ્વ ગુરુ બનાવવા હંમેશા કાર્યશીલ છે.તેની વચ્ચે મોરબીમાં તા.૧૮ તથા ૧૯ સપ્ટેમ્બરના દિવસોમાં રવાપર રોડ, શનાળા રોડ ઉપરની સોસાયટીઓમાં તેમજ પાડાપુલ-મયુરપુલ સહિત શહેરના અનેક વિસ્તારોમાં દિવસે લાઇટો ચાલુ હતી.જોકે આ ફરીયાદ અગાઉ અન્ય એક જાગૃત નાગરીક પ્રહલાદસિંહ જાડેજાએ પીજીવીસીએલની "ઉર્જા બચાવો" રેલી સમયે કરી હતી માટે સરકારના વિજબચતના સુત્રને ચરીતાર્થ કરવા મોરબી પાલીકા કયારે કટીબધ્ધ થશે અને દિવસે ચાલુ રહેતી અને રાત્રે બંધ રહેતી સ્ટ્રીટ લાઇટોના પ્રશ્નઓ કયારે ઉકેલશે..? એ તો આગામી સમય જ બતાવશે.





Latest News