મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન ચાલુ કરવા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત


SHARE















મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા જૂની પેન્શન ચાલુ કરવા રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત

રાજ્યમાં નવી વર્ધિત પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના પુન: ચાલુ કરવા તેમજ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ ટ્રાન્સફર કરવા બાબતે મોરબી અને માળિયા તાલુકાના પ્રાથમિક  શિક્ષકો દ્વારા રાજ્યના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે તેમજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી દિનેશભાઈ આર.હુંબલની આગેવાની હેઠળ મોરબી અને માળિયા (મિ.) તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ અન્યો રાજ્યોની જેમ આપણા ગુજરાત રાજ્યમાં પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજનાનો પુન: સ્વીકાર થાય તે માટે મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને શ્રમ, રોજગાર, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાને આવેદનપત્ર પાઠવ્યું હતી અને નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે સામાજીક અને કૌટુંબિક બાબતે આર્થિક રીતે અસુરક્ષા આપનારી હોય દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ નવી વર્ધિત પેન્શન યોજના રદ કરી તાત્કાલિક  ધોરણે જૂની પેન્શન યોજના શરૂ કરે તે માટેની  રજુઆત કરવામાં આવી હતી સાથે સાથે મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોના જી.પી.એફ.એકાઉન્ટ  મૂળ રાજકોટ જિલ્લામાંથી નવરચિત મોરબી જિલ્લામાં તાત્કાલિક ધોરણે તબદીલ થાય અને શિક્ષકોની જી.પી.એફ.અંગેની મુશ્કેલીઓ દૂર થાય તે માટે પણ રજુઆત કરવામાં આવી હતી આ તકે દિનેશભાઈ આર.હુંબલ, મણીલાલ વી. સરડવા, ધીરૂભાઇ જાકાસણીયા, અશ્વિનભાઈ આર.દલસાણીયા, હસુભાઈ વરસડાહર્ષદભાઈ ટી.પટેલ તેમજ મોરબી અને માળિયા તાલુકાના શિક્ષકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.






Latest News