ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત


SHARE











પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ હળવદના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઝેરી દવા પી ગયેલ યુવાનને સારવારમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી પોલિસએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરેલ છે.

બનાવ અંગે વધુમાં મળતી માહિતી મુજબ મોરબીના હળવદ તાલુકાના કડિયાણા ગામે ઇશ્વરભાઈ ભીમાણીની વાડીએ કોઈ કારણોસર ઝેરી દવા પી ગયેલ સમીર શંકરભાઇ નાયક નામના ૩૯ વર્ષના યુવાનને સારવારમાં મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેનું અહીં ટૂંકી સારવાર બાદ મોત નીપજેલ છે.મોરબી સિટિ એ ડીવીઝનના હરેશભાઈ ચાવડાએ પ્રાથમીક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલિસને જાણ કરતાં હળવદ પોલિસએ બનાવના કારણ બાબતે આગળની તપાસ ચાલુ કરેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું જોકે સાચું કારણ હળવદ પોલીસની તપાસ બાદ સામે આવશે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા હર્ષદભાઈ બચુભાઈ ભીમાણી નામના ૪૭ વર્ષના યુવાનને ગામમાં વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી જેથી તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યો હતો.હર્ષદભાઈ ભીમાણી ગામમાં બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ ગયું હતું અને તે બનાવમાં તેમને ઈજા પહોંચી હતી.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ રવાપર નદી ગામે રહેતા ગણેશ કનુજી ભીલ નામના ૩૩ વર્ષના યુવાનને ગામની અંદર કામ દરમિયાન વીંછી કરડી જતા સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના રહેવાસી સંજયભાઈ મધુકરભાઈ નામના ૪૦ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ ઉપર આવેલા સૂરજબાગ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ. ચાવડા દ્વારા નોંધ કરી કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News